Gujarat

જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે થયેલા ફાયરિંગની ફરિયાદ નોંધાઈ

જામનગર, તા. ૯
જામનગરના એક વકીલ તથા તેમના ભાઈ પર ગઈકાલે બપોરે ગોકુલનગર જકાત નાકા પાસે સાત શખ્સોએ સશસ્ત્ર હુમલો કરી હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરતા અફડાતફડી મચી ગઈ છે. વકીલે ખરીદેલી દુકાનની બાબતે સર્જાયેલા ડખ્ખામાં પોલીસે હત્યા પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતા યજુર્વેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ શક્તિસિંહ જાડેજા ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યે ગોકુલનગર જકાત નાકા પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાં ધસી આવેલા જગદીશગીરી બાવાજી, હાજી, આદમ હોથી, હબીબ, હયાત અયુબ, હેજાન અયુબ, શિવરાજસિંહ ઉર્ફે શિવો જાડેજા નામના સાત શખ્સોએ ધારિયા, કુહાડી, પાઈપ, ધોકા વડે હુમલો કર્યો હતો.
આ શખ્સો પૈકીના મસીતિયાના આદમ હોથીએ પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી હવામાં બે ફાયર પણ કર્યા હતા. અચાનક બનેલા આ બનાવથી તે વિસ્તારમાં નાસભાગ મચી હતી. હુમલો કરી આરોપીઓ નાસી ગયા હતા. સ્થળ પર હાજર લોકોએ ઈજાગ્રસ્ત યજુર્વેન્દ્રસિંહ તથા શક્તિસિંહને જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા. બનાવની જાણ થતા સિટી-સીનો પોલીસ કાફલો બનાવના સ્થળે દોડયો હતો.
ત્યાર પછી યજુર્વેન્દ્રસિંહએ પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, તેઓએ ખીમગર કુંવરગર ગોસ્વામી પાસેથી એક દુકાન ખરીદી હતી તે બાબત જગદીશગીરીને નહીં ગમતા તેઓએ મસીતિયાના ત્રણ શખ્સોને સાથે રાખી કુલ સાત શખ્સોએ આ હુમલો કર્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.