National

યોગીનું કામ મંદિરમાં ઘંટ વગાડવાનું અને પૂજા કરવાનું છે : શરદ યાદવ

(એજન્સી) બારાબંકી, તા.ર૭
જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવે સીએમ યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા છે. રામ મંદિર મુદ્દે વિફરેલા શરદ યાદવે સીએમ યોગી મુદ્દે મંગળવારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શરદ યાદવે કહ્યું છે કે, યોગીનું કામ મંદિરમાં ઘંટ વગાડવાનું છે. બંધારણ સાથે તેમને કોઈ લેવા-દેવા નથી. તેમનું કામ મંદિર જવાનું, પૂજાપાઠ કરવાનું અને ઘંટ વગાડવાનું છે. અમારે મંદિર સાથે કોઈ લેવા-દેવા નથી. અમે જીવતા લોકોને પૂજીએ છીએ. બંધારણમાં આ વાતોનો કોઈ અર્થ નથી. લોકતાંત્રિક જનતા દળ (એલજેડી) નામનો નવો પક્ષ રચનાર શરદ યાદવે ભાજપ સરકાર પર ખૂબ જ પ્રહારો કર્યા. ભાજપા ગત ચાર વર્ષમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે આ લોકો માટે જૂઠાણાની ખેતી કરે છે અને લોકો સાથે વિશ્વાસઘાત કરે છે. શરદ યાદવે રામ મંદિર મુદ્દા પર પણ ભાજપને ઘેરી લીધી હતી. શરદ યાદવ બારાબંકી જિલ્લામાં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યા હતા. શરદ યાદવે ર૦૧૯ની લોકસભા ચૂંટણી માટે મહાગઠબંધનની જીતનો દાવો કર્યો. શરદ યાદવે કહ્યું કે ર૦૧૯માં મહાગઠબંધનની જ સરકાર બનશે. જો કે, તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે મહાગઠબંધનનો ચહેરો કોણ હશે. પરંતુ તેમણે એવું કહ્યું કે તે દરેકનો પહેલો હેતુ ભાજપને હરાવીને દેશના બંધારણને બચાવવાનો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.