Gujarat

દોડતું જનાવર આડું ઊતરતાં બાઈકને નડ્યો અકસ્માત : નિવૃત્ત DYSPનું મોત

(સંવાદદાતા દ્વારા) જામનગર તા.૭
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર રાજકોટથી નાના થાવરિયા તરફ આવતી એક મોટર રોડ પર દોડતા ઉતરેલા જનાવરને બચાવવા જવાના તેના ચાલકના પ્રયાસના પગલે ગોથું મારી જતાં તેમાં રહેલા નિવૃત્ત ડીવાયએસપીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જામનગરથી કાલાવડ તરફના ધોરીમાર્ગ પર આવેલા સુવરડા ગામ પાસેથી ત્રણેક વાગ્યે હાલમાં રાજકોટમાં રહેતા જયદેવસિંહ જશવંતસિંહ જાડેજા (ઉ.વ.૬૩) ચારેક વર્ષ પહેલાં રાજ્યના પોલીસ તંત્રમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા જે.જે. જાડેજા થોડા વર્ષો પહેલાં જામનગર તેમજ રાજકોટમાં પણ ફરજ બજાવી ચૂકયા હતા. તેઓની મોટર જ્યારે સુવરડાની સીમ પાસે પહોંચી ત્યારે અચાનક જ કોઈ જનાવર આડું ઉતરતા અકસ્માત થતો બચાવવા જવાના પ્રયત્નમાં જયદેવસિંહે મોટર પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તેઓની મોટર નાના થાવરિયાના પુલ પરથી પલ્ટી મારી નીચે ઉતરી ગોથું મારી ગઈ હતી જેના કારણે મોટરમાં એકલા રહેલા જયદેવસિંહને ગંભીર ઈજા પહોંચી હતી. ૧૦૮ના સ્ટાફે અન્ય લોકોની મદદ મેળવી મોટરમાંથી બહાર કાઢી જયદેવસિંહને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજતા ભારે ગમગીની પ્રસરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.