National

સુપ્રીમના નિર્ણય બાદ વોટર આઈડી સાથે જોડાશે આધારકાર્ડને : મુખ્ય ચૂંટણી કમિશનર

નવી દિલ્હી, તા.૧
મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે કહ્યું છે કે, સર્વોચ્ચ અદાલતના નિર્ણય પછી, આ પ્રક્રિયાને મતદાર ઓળખપત્ર (મતદાર આઈડી)ને ’આધાર’ સાથે જોડવાની પ્રક્રિયા ફરીથી શરૂ થશે.
આધાર માટે ઉચ્ચત્તમ અદાલત દ્વારા માન્ય કરાર બાદ મતદાર આઈડીથી જોડાયેલ પ્રશ્ન પર તેમણે કહ્યું – ‘આ પ્રોજેક્ટ, અદાલતમાં આધાર કેસમાં વિચારણા કરવાના મામલામાં રોકવામાં આવ્યો હતો. હવે નિર્ણયનું અધ્યયન પછી અદાલતના આદેશ અનુરૂપ તે ફરીથી શરૂ થશે.’ રાવતે કહ્યું કે મતદાતા યાદીમાં નિર્દોષ બનાવવા માટે ફેબ્રુઆરી ૨૦૧૫માં આધારથી મતદાર ઓળખપત્ર જોડવાની યોજના શરૂ થઈ. ઓગસ્ટ ૨૦૧૫ માં આધારની કાયદેસરતા સાથે જોડાયેલ મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો. ત્યાં સુધી આશરે ૩૩ કરોડ મતદાતા ઓળખપત્ર આધાર સાથે જોડાઇ ચૂક્યા હતા. આગામી વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી પહેલાં પૂરા કરવાના પ્રશ્નો પર તેઓએ કહ્યું કે ’યોજના શરૂ કરવાનો સમય હજુ બાકી છે. કામ જેટલું જલ્દીથી પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું. જોઇએ કે કેટલો સમય લાગે છે.
અપરાધીઓને ચૂંટણી લડવાથી રોકવાના સંબંધિત ઉચ્ચતમ અદાલતના ચુકાદામાં રાવતે જણાવ્યું હતું કે, આયોગ આ નિર્ણયનું પણ અધ્યન કરીને અમલ કરવા માટે પ્રયત્ન કરશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.