National

રાફેલ સોદો : નિર્મલા સીતારમણનો ફરીથી પોતાના નિવેદનમાં વિરોધાભાસ

Chennai: Minister of Commerce & Industry, Nirmala Sitharaman addressing the Regional Editors’ Conference in Chennai on Friday. PTI Photo by R Senthil Kumar (PTI9_2_2016_000244B)

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
રક્ષામંત્રી નિર્મલા સીતારમણે બે મીડિયા ગ્રુપોને રાફેલ સોદા બાબત ઈન્ટરવ્યુ આપ્યા હતા. એમણે ઈકોનોમિક ટાઈમ્સ અને ધ હિન્દુને જણાવ્યું હતું કે ૩૬ જેટનો ઓર્ડર આપ્યો હતો પણ ૧ર૬માંથી બાકીના વિમાનો ‘મેઈન ઈન ઈન્ડિયા’ કાર્યક્રમ હેઠળ દેશમાં જ ઉત્પાદિત કરવામાં આવશે. એમણે કહ્યું કે બાકીના ૧૧૪ જેટ વિમાનો માટે અમોએ જાહેરાત આપી છે. અમને સાત કંપનીઓ મળી છે. જેમણે રસ દાખવ્યો છે અને હવે અમે એમની સાથે વાતચીત કરી રહ્યા છીએ. જેથી હરીફાઈ વધશે. એવું માનવાની જરૂર નથી કે અમોએ અમારી જરૂરિયાતને ઘટાડી છે.
પણ નિર્મલા સીતારમણે સપ્ટેમ્બર ર૦૧૮માં ઈન્ડિયન એક્ષપ્રેસને જણાવ્યું હતું કે ભારતે ર૦૧પના વર્ષમાં ફ્રાન્સ પાસેથી ફક્ત ૩૬ રાફેલ મેળવવા સોદો ્ર્‌કર્યો હતો. પાછલી યુપીએ સરકારે ૧ર૬ વિમાનો માટે વાતચીત કરી હતી પણ અમોએ માત્ર ૩૬ રાફેલની વાત કરી હતી. કારણ કે માળખાકીય સુવિધાઓ અને અન્ય ટેકનિકલ જરૂરિયાતો મુજબ ભારતીય વાયુસેના વધુ વિમાનોનો સમાવેશ કરવા મંજૂરી આપતી નથી.
સીતારમણે એ પણ કહ્યું કે અમારા સોદા વચ્ચે કોઈ વચેટિયો નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.