National

મરતા-મરતા ‘રાવણે’ બચાવ્યા લોકોના જીવ, પાછળ છોડી ગયો વિધવા મા, પત્ની અને ૮ મહિનાનો પુત્ર

(એજન્સી) અમૃતસર, તા.ર૦
અમૃતસરમાં દશેરાના દિવસે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ. આ દરમિયાન રામલીલા જોવા આવેલા અનેક લોકોને બે ટ્રેનોએ પોતાના શિકાર બનાવ્યા હતા. કોઈ પોતાના બાળકોની સાથે આ મેળામાં પહોંચ્યું હતું તો કોઈ પોતાના માતા-પિતાની સાથે અહીં રાવણ દહન જોવા આવ્યા હતા. પરંતુ તેમને ખબર ન હતી કે આ તેમના જીવનની અંતિમ રામલીલા હશે અને રાવણ વધની સાથે-સાથે તેઓ પોતાનો પણ જીવ ગુમાવી દેશે. ત્યાં આ દુર્ઘટનાની ચપેટમાં ના માત્ર દર્શકો જ પરંતુ પોતે રાવણનું પાત્ર ભજવી રહેલા દલબીરસિંહ પણ આવી ગયા, લોકોનો જીવ બચાવતા-બચાવતા દલબીરસિંહ પોતાનો જીવ પણ ગુમાવી બેસ્યા. દુર્ઘટનાની થોડીક મિનિટ પહેલાં જ તેઓ રામલીલા સમાપ્ત કરીને પોતાના ઘર ૮ માસના પુત્રને મળવા નીકળ્યા હતા. પરંતુ પાટા પર પહોંચતા જ તેમને ટ્રેનના આવવાનો અવાજ સંભળાયો અને ઘર ના જતા ત્યાં હાજર લોકોને હટાવવા લાગ્યા. પરંતુ તેમને જાણ ન હતી કે તેઓ દુર્ઘટનામાં પોતાનો જીવ પણ બચાવી શકશે નહીં. ર૪ વર્ષનો બદલબીરસિંહ આ વર્ષે પોતાની સોસાયટીની રામલીલામાં રાવણનું પાત્ર ભજવી રહ્યો હતો. દશેરાના દિવસે જ્યારે દુર્ઘટના થઈ તે સમયે તે રામલીલાથી નીકળીને પાટા પાસેથી પોતાના ઘર જઈ રહ્યો હતો. ત્યારે તેમણે જલંધરથી પૂરઝડપે આવતી ટ્રેન જોઈ અને તેઓ દોડીને લોકોને હટાવવા લાગ્યા. બૂમો પાડીને પાટા તરફ ભાગ્યા પરંતુ તેઓ પોતે ટ્રેનના શિકાર થઈ ગયા. તેમની માતાનું કહેવું છે કે તેમના પુત્ર દલબીરે ખૂબ જ હિંમતનું કામ કર્યું છે. દલબીર તેની પાછળ તેની વિધવા માં, તેની પત્ની અને ૮ માસનો પુત્ર છોડી ગયો છે. દલબીરના પરિવારની માગ છે કે દલબીરની પત્નીને સરકારી નોકરી મળે અને દુર્ઘટના માટે જવાબદાર લોકોને સજા આપવામાં આવે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.