Ahmedabad

ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોએ તેમના કેસો અંગે અખબાર અને ટીવીમાં જાહેરાત આપવી પડશે

અમદાવાદ, તા.૧૭
ભારતીય ચૂંટણી પંચ દ્વારા સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને અનુલક્ષીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ઉમેદવારોએ ઉમેદવારી પત્રની સાથે રજૂ કરવાના સોગંદનામાના નમૂના (ફોર્મ નં-૨૬)માં સુધારા-ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ઉમેદવારોએ તેઓની સામેના ફોજદારી કેસો, મિલકત દેવું, જવાબદારી તથા શૈક્ષણિક લાયકાતની માહિતી દર્શાવતું સોગંદનામું હવે પછીની લોકસભા અને વિધાનસભાની તમામ ચૂંટણીઓમાં સુધારેલા નમૂના પ્રમાણે જ ફોર્મ નં.-૨૬માં રજૂ કરવાનું રહેશે તેમ, રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ.મુરલીક્રિષ્ણાની અખબારી યાદીમાં જણાવાયું છે.
સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને ધ્યાને રાખીને ભારતના ચૂંટણી પંચ દ્વારા વધુમાં જણાવવામાં આવે છે કે, જે ઉમેદવારો સામે ફોજદારી કેસો પડતર હોય કે ભૂતકાળમાં કોઇ કેસ સંદર્ભે સજા થઇ હોય તેવા ઉમેદવારોએ આ કેસોની વિગતો બહોળી પ્રસિદ્ધિ સારૂ જે-તે મતક્ષેત્ર વિસ્તારના બહોળો ફેલાવો ધરાવતા સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવી પડશે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખથી માંડી ચૂંટણીના બે દિવસ પૂર્વેના સમયગાળામાં ઓછામાં ઓછી ત્રણ અલગ-અલગ તારીખોએ આવી પ્રસિદ્ધિ કરવી પડશે. જે ઉમેદવારો સામે ફોજદારી કેસો હોય તેઓએ ટીવી ચેનલો ઉપર પણ નિયત સમયગાળા દરમિયાન ત્રણ અલગ-અલગ દિવસોએ તે અંગેની પ્રસિદ્ધિ કરવાની રહેશે. આવા ઉમેદવારોએ જે સમાચાર પત્રોમાં આ અંગેની પ્રસિદ્ધિ કરી હોય તેની નકલો જિલ્લા ચૂંટણી અધિકારીને ચૂંટણી ખર્ચના હિસાબોની સાથે રજૂ કરવાની રહેશે.
આ ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા ઉભા રાખવામાં આવેલ ઉમેદવારોએ તેમની સામેના ફોજદારી કેસોની જાણ રાજકીય પક્ષને કરી હોવાની ચૂંટણી અધિકારી સમક્ષ જાહેરાત કરવાની રહેશે. જે રાજકીય પક્ષો (માન્ય પક્ષો અને નોંધાયેલ બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો)એ જેની સામે ફોજદારી કેસો પડતર હોય કે ભૂતકાળમાં તેવા કેસોમાં સજા થઇ હોય તેવા ઉમેદવારોને ઉભા રાખ્યા હોય તે પક્ષોએ પણ તે અંગેની જાહેરાત પોતાની વેબસાઇટ ઉપર તેમજ ટીવી ચેનલો અને રાજ્યમાં બહોળો ફેલાવો ધરાવતા પ્રચલિત સમાચારપત્રોમાં કરવાની રહેશે. અલબત, ટી.વી. ચેનલોમાં પ્રસારણ કરતી વખતે આવી જાહેરાત રાજકિય પ્રચાર-પ્રસાર માટેના પ્રતિબંધિત સમયગાળા એટલે કે મતદાન સમાપ્તિના છેલ્લા કલાક પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ન કરવામાં આવે તેની તકેદારી પણ રાખવાની રહેશે.
સુધારેલ નમૂનાની નકલ ભારતના ચૂંટણી આયોગની વેબસાઇટ www.eci.gov.in ઉપર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી તથા ચૂંટણી અધિકારીની કચેરીમાં પણ ઉપલબ્ધ થશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.