National

‘સૌના સાથ માટે ઘણું બધું’ : પીએમ મોદી સામે ઓમર અબ્દુલ્લાહનો કટાક્ષ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
ભાજપના ૨૦૧૪ની ચૂંટણીના સૂત્ર ‘સૌનો સાથે સૌનો વિકાસ’ને ટાંકીને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાહે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કટાક્ષ કરતા જણાવ્યું કે શિવસેના સહિત તેમના સહયોગીઓએ દેશમાં કાશ્મીરીઓ પર થઇ રહેલા હુમલાઓને વખોડી કાઢ્યા છે પરંતુ વડાપ્રધાને કાશ્મીરીઓ પર થઇ રહેલા હુમલાને વખોડ્યા નથી. નેશનલ કોન્ફરન્સના નેતાએ પુલવામાના ત્રાસવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનોની શહાદતને પગલે દેશના અન્ય ભાગોમાં રહેતા કાશ્મીરીઓ પર થઇ રહેલા હુમલાઓ અંગે પીએમ મોદીના મૌન સામે પ્રશ્ન કર્યો છે. ઓમર અબ્દુલ્લાહે જણાવ્યું કે અકાલીદળે કાશ્મીરીઓ પર થઇ રહેલા હુમલાને વખોડ્યા છે. મહારાષ્ટ્રમાં કાશ્મીરીઓને ધમકાવતા લોકોની જાહેરમાં આકરી ટીકા કરીને અમને બધાને ચોંકાવી દીધા છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારજીએ કલમ ૩૭૦ રદ કરવાની વાતનો વિરોધ કર્યો છે. આ બધા પીએમ મોદીના મોટા અને મહત્વના સહયોગીઓ છે. તેમણે એવો પ્રશ્ન કર્યો કે મોદીજીએ કાશ્મીરીઓ પર થઇ રહેલા હુમલા વિશે શું કહ્યું ? કશું જ નથી કહ્યું ! ‘ સૌના સાથ માટે આટલું બધું…’ બુધવારે રાત્રે મહારાષ્ટ્રના યાવતમલમાં રાજકીય કાર્યકરોના એક ટોળા દ્વારા બે કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં આ હુમલાનો વીડિયો વ્યાપક રીતે શેર કરવામાં આવ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.