Gujarat

જૂનાગઢ ખાતે ચાર સાધુઓના ભોજનમાં કેફી પદાર્થ ભેળવીને બેભાન કરવાનું કારણ શું ?

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૪
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ એક આશ્રમના મહંત સહિત ૪ સાધુઓને કોઈએ ભોજનમાં કેફી પદાર્થ ભેળવી અને ખવડાવી દઈ અજાણ્યા આરોપીઓ નાસી છૂટયા હતા. ત્યારબાદ આ સાધુઓને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ભવનાથ વિસ્તારમાં આવેલ ઉદાસીન પંચાયતી બડા અખાડાના મહંત ગંગાદાસ બાપુ, ભુરાદાસબાપુ, ભરપુરદાસ બાપુ અને છગનદાસ બાપુને ગતરાત્રે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ભાનમાં આવતા ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૧૦ વર્ષથી અહીં છે. છેલ્લે શિવરાત્રી મેળામાં તેમના આશ્રમમાં અન્ય સાધુઓ આવ્યા હતા. તેમાંના બે સાધુ હાલ હાજર નથી. ગતરાત્રે તેઓએ શાક અને રોટલો ખાધો હતો. જેમાં કોઈએ કેફી પદાર્થ ખવડાવી દીધા હોય તેવું લાગે છે. એક રામદાસ અને બીજા હનુમાનદાસ હાજર નથી. તેઓએ કયાં ઈરાદે આ કર્યું તે ખબર નથી. આશ્રમે જઈને તપાસ કરીએ ત્યારે ખબર પડશે કે ચોરી થઈ છે કે કેમ ? હાલ ચારેય ભાનમાં આવતા પોલીસે તેના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી તપાસ હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.