Gujarat

મોરબીમાં સીરામીક ટાઈલ્સના વેપારીના માસૂમ પુત્રનું શંકાસ્પદ હાલતમાં મોત

મોરબી, તા.૧૦
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા નિત્યાનંદ સોસાયટીમાં રહેતા સીરામીક ટાઈલ્સના વેપારી પટેલ પરિવારના ત્રણ વર્ષના પુત્રનું શંકસ્પદ હાલતમાં મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ મોરબી પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નિત્યાનંદ સોસાયટીના એપાર્ટમેન્ટમાં રહેતા સીરામીકના ટ્રેડિંગનો વ્યવસાય કરતા રાજેશભાઈ ડઢાંણીયાનાં ત્રણ વર્ષના દીકરા નિત્યની શંકાસ્પદ હાલતમાં તેના જ ઘરમાંથી ડેડબોડી મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે. બાળકના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા છે જેથી હત્યા કરાયાની આશંકાએ તપાસના તાણાવાણા વચ્ચે માસૂમ બાળકનું શંકાસ્પદ મોતથી મોરબીમાં ફરી ચકચાર મચી જવા પામી છે. હાલ માસૂમ બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જઈને પી.એમ. કરવા તજવીજ હાથ ધરી છે સમગ્ર ઘટનાની જાણ થતા મોરબી બી.ડિવિઝન પોલીસ એલ.સી.બી. સહીતનાઓએ સિવિલ હોસ્પિટલ પહોંચીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શંકાસ્પદ મોતનું રહસ્ય પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.