Gujarat

૫ાલનપુરમાં બે માસૂમ બાળકોની માતાએ આપઘાત કરતાં ચકચાર

(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૧૪
પાલનપુરના તાજપુરાની બે સંતાનોની જુવાનજોધ માતાએ આત્મહત્યા કરી લેતાં બે બાળકો નોંધારા બન્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી અને ઘરે બેસી મસાલાના પાઉચ પેકિંગ કરતી લલીતાએ શુક્રવારે પતિ નરેશની ગેરહાજરીમાં આપઘાત કર્યો છે. પતિ નરેશ કલર કામની મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. પતિવારજનોએ જણાવ્યું કે, “સાત વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા અભિષેક નામનો પુત્ર અને રાધિકા નામની ૫ વર્ષની બાળકી છે. શાળાએથી બાળકો ઘરે આવતા ઘરનો મુખ્ય દરવાજો બંધ જોતા લલિતાની જેઠાણીને બોલાવતા દરવાજો ખોલી જોતા લલિતા નીચે પડેલી હતી. જે જોતા બાળકોએ માતાને જગાડવા પ્રયત્ન કરતાં માતા ના જાગતાં બાળકો રડવા લાગ્યા હતા. મામલાની જાણ લલિતાના પતિ નરેશને કરાતાં તે પણ ઘરે પહોંચ્યો હતો. જ્યાં લલિતા ઘરમાં મૃત હાલતમાં પડી હતી. પરિવારજનોએ પશ્ચિમ પોલીસને જાણ કરી હતી પશ્ચિમ પોલીસે લાશનો કબજો મેળવ્યો હતો. આત્મહત્યાનું પ્રથમ તારણ કાઢી લાશને પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.