Sports

આઈપીએલ કેન્સલ થશે તો બીસીસીઆઈને ૩૮૬૯.પ કરોડનું નુકસાન થશે

નવી દિલ્હી, તા.૧૭
આઈપીએલના નામથી પ્રખ્યાત આ લીગની ૧૩મી સિઝન અનિશ્ચતતામાં જ ફસાઈ ગઈ છે. પહેલાં તો લીગની સિઝનનું ઉદ્‌ઘાટનને ર૯ માર્ચથી શિફટ કરી ૧પ એપ્રિલ કરી દેવાયું છે અને ત્યારબાદ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ઈશારો કર્યો છે કે આ વર્ષ લીગની મેચોમાં ઘટાડો થઈ શકે છે. હવે એક અખબારનો દાવો છે કે અમુક ટીમો વર્ષ ર૦૦૯ની જેમ આ વર્ષે પણ ફૂલ આઈપીએલ ઈચ્છે છે. વર્ષ ર૦૦૯ના આઈપીએલની વાત કરીએ તો આ ટુર્નામેન્ટ ૩૭ દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. ૧૪ માર્ચે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ અને બધી ફ્રેન્ચાઈઝી વચ્ચે મીટિંગ થઈ હતી. આ મીટિંગ બાદ ગાુગુલીએ કહ્યું હતું કે આઈપીએલ નાની થઈ શકે છે. જો કે ગાંગુલીના આ વિચારથી ફ્રેન્ચાઈઝી સહમત નથી. હાલ તો આઈપીએલ ૧પ એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે. સ્થિતિ સુધરશે નહીં તો કેન્સલ પણ થઈ શકે છે. આને કેન્સલ કરવું એટલું આસાન નથી. બિઝનેસ ટુડેના અનુસાર આઈપીએલ કેન્સલ થશે તો બીસીસીઆઈને ૩૮૬૯ કરોડનું નુકસાન થશે. આમાં ૩ર૬૯ કરોડનું બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ રેવન્યુ સામેલ છે. આ ઉપરાંત ર૦૦ કરોડની સેન્ટ્રલ સ્પોન્સરશીપ અને ૪૦૦ કરોડની ટાઈટલ સ્પોન્સરશીપ પણ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
Sports

આગામી વર્ષે અનેક સિનિયર ખેલાડીઓ રિટાયરમેન્ટની જાહેરાત કરી શકે છેઅશ્વિન તો બસ એક શુરૂઆત હૈ આગે આગે દેખો હોતા હૈ કયા

પુજારા-રહાણેની અવગણના બાદ અશ્વિનનો…
Read more
Sports

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટનો આજથી પ્રારંભગાબા ટેસ્ટ જીતવા બંને ટીમો મરણિયો પ્રયાસ કરશે

ઓસ્ટ્રેલિયાની ટીમમાં બોલેન્ડના…
Read more
Sports

‘હમ ભી કિસી સે કમ નહીં’ મો.સિરાજની કુલ નેટવર્થ પ૭ કરોડ રૂપિયા

એક મહિનાની કમાણી ૬૦ લાખ રૂપિયા નવ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.