(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૭
ભરૂચમાં ૧૪૪ની કલમ લાગૂ હોવા છતાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં આપવા ભરૂચ જિલ્લા કલેકટર કચેરીમાં પહોંચતા તમામની ૧૪૪ ના ભંગ બદલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં લોક ડાઉનમાં સસ્તા અનાજની દુકાન સંચાલકો દ્વારા અનાજ વિતરણ સરકારના નિયમ મુજબ કરવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાક રેશન ધારકો અનાજ ન મળતું હોવાના કારણે દુકાન સંચાલકો સાથે અભદ્ર વર્તન કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવ્યા બાદ સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ભેગા મળી સામૂહિક રાજીનામાં ભરૂચ જિલ્લા કલેકટર સમક્ષ કરી દેવાના પ્રકરણમાં સંચાલકો કલેકટર કચેરીમાં કલેકટર ને રાજીનામા આપવા જતાં ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સંકુલમાં જ ૧૪૪ ના જાહેરનામાના ભંગ બદલ સંચાલકોની ૧૪૪ ના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી જોકે ભરૂચ જિલ્લા કલેકટર કચેરીમાં રાજીનામા સાથે રજૂઆત કરવા આવેલા સૌથી વધુ સંચાલકોને પોલીસે ૧૪૪ ના જાહેરનામાના ભંગ બદલ અટકાયતી પગલાં લેવામાં આવતા કલેક્ટર કચેરી સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.