Gujarat

ભરૂચ : ૧૦૦થી વધુ રેશનિંગ દુકાનોના સંચાલકો રાજીનામાં આપવા કલેકટર કચેરીએ ભેગા થતાં ધરપકડ

(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૭
ભરૂચમાં ૧૪૪ની કલમ લાગૂ હોવા છતાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં આપવા ભરૂચ જિલ્લા કલેકટર કચેરીમાં પહોંચતા તમામની ૧૪૪ ના ભંગ બદલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં લોક ડાઉનમાં સસ્તા અનાજની દુકાન સંચાલકો દ્વારા અનાજ વિતરણ સરકારના નિયમ મુજબ કરવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાક રેશન ધારકો અનાજ ન મળતું હોવાના કારણે દુકાન સંચાલકો સાથે અભદ્ર વર્તન કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવ્યા બાદ સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ભેગા મળી સામૂહિક રાજીનામાં ભરૂચ જિલ્લા કલેકટર સમક્ષ કરી દેવાના પ્રકરણમાં સંચાલકો કલેકટર કચેરીમાં કલેકટર ને રાજીનામા આપવા જતાં ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સંકુલમાં જ ૧૪૪ ના જાહેરનામાના ભંગ બદલ સંચાલકોની ૧૪૪ ના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી જોકે ભરૂચ જિલ્લા કલેકટર કચેરીમાં રાજીનામા સાથે રજૂઆત કરવા આવેલા સૌથી વધુ સંચાલકોને પોલીસે ૧૪૪ ના જાહેરનામાના ભંગ બદલ અટકાયતી પગલાં લેવામાં આવતા કલેક્ટર કચેરી સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.