Ahmedabad

રાજ્યના માછીમારોને મત્સ્યોદ્યોગ માટે હવે દરિયો ખેડવાની મંજૂરી

અમદાવાદ, તા. ૧૧
પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના સાગરખેડૂ-માછીમાર પરિવારોને આર્થિક આધાર રૂપ મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિથી આવક મળી રહે તે માટે રાજ્ય સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે. કોરોના વાયરસ – કોવિડ-૧૯ ની સ્થિતિને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે રાજ્યના માછીમારો-સાગરખેડૂઓને દરિયામાં જવા પર-દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ હવે રાજ્ય સરકારે દૂર કર્યો છે. આ નિર્ણયને પરિણામે રાજ્યમાં મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લાખો સાગરખેડૂ-માછીમાર પરિવારોને પોતાના પારંપારિક વ્યવસાય દ્વારા પૂનઃ રોજગારી-આવક મળતી થશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, રાજ્યના સાગરખેડૂ-માછીમાર ભાઇઓ હવે પોતાના વ્યવસાય માટે દરિયામાં જઇ શકશે. આ હેતુસર તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. આવા સાગરખેડૂ ભાઇઓને માછલી-ઝિંગા પકડવા તેમજ માછીમારીના વ્યવસાયને આનુષાંગિક એવા પ્રોસેસિંગ, પેકેજિંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશનની બાબતો માટેનો પ્રતિબંધ રાજ્ય સરકારે હટાવી લીધો છે તેમ પણ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. આ પ્રતિબંધ હટી જવાથી સાગરખેડૂ પરિવારો પુનઃ પોતાના વ્યવસાય થકી આર્થિક આધાર મેળવતા થશે અને મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિ ફરી ધમધમતી થશે. મુખ્યમંત્રીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં રાજ્યની ૪ લાખ ૪૩ હજાર જેટલી માતા-બહેનોને આર્થિક સહાય માટેનો પણ એક સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. સ્થિતીમાં એપ્રિલ-મે-ર૦ર૦ એમ બે મહિના માટે પ્રતિમાસ રૂા.પ૦૦ પ્રમાણે ૧૦૦૦ની એકસગ્રેશિયા વધારાની સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં બીપીએલ-ગરીબી રેખા નીચે નિર્વાહ કરતી આવી ૯૭૪૭૪ ગંગા સ્વરૂપા માતા-બહેનોને આ વધારાની સહાયનો લાભ ભારત સરકાર તરફથી મળવાનો છે. રાજ્ય સરકારને આના પરિણામે વધારાના ૩૪.૬૪ કરોડનો બોજ વહન કરવાનો વારો આવશે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યની ૪ લાખ ૪૩ હજાર ૮૯૧ ગંગા-સ્વરૂપા માતા-બહેનોને હાલની સ્થિતિમાં કેન્દ્ર સરકારના કુલ ૯ કરોડ ૭૪ લાખ અને રાજ્ય સરકારના ૩૪.૬૪ કરોડ મળીને સમગ્રતયા રૂ. ૪૪ કરોડ ૩૯ લાખની સહાય તેમના જીવનનિર્વાહની સરળતા માટે મળશે. રાજ્યમાં હાલની લોકડાઉનની સ્થિતિમાં સૌ નાગરિકો-જરૂરતમંદોને અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો નિયમિત અને સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.