National

ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર ઉપસ્થિત રહ્યા

(એજન્સી) મુંબઇ, તા. ૩૦
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું કેન્સર સામે બે વર્ષ સુધી લડાઇ લડ્યા બાદ ગુરૂવારે સર એનએચ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. ઋષિ કપૂરના મુંબઇના ચંદનવાડી સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ઋષિ કપૂરની પુત્રી રિદ્ધીમા કપૂર સહનીને મુંબઇ આવવાની ખાસ ટ્રાવેલ પરવનાગી આપવામાં આવી છે. ઋષિકપૂરના પાર્થિવ દેહને હોસ્પિટલેથી સ્મશાનગૃહ લઇ જવામાં આવ્યો હતો. ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર વખતે સ્મશાનગૃહમાં ઋષિ કપૂરનો પુત્ર રણબીર કપૂર, તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ, ભત્રીજી કરીના કપૂર ખાન તેના પતિ સૈફ અલીખાન સાથે, ભાણિયા અર્માન જૈન, અભિષેક બચ્ચન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. ઋષિ કપૂરના પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં લોકડાઉનનું પાલન કરવાની બધાને અરજ કરવામાં આવી હતી. નિવેદનમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે અંગત નુકસાનની આ પળમાં સમગ્ર વિશ્વ અત્યંત કપરા અને મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે આપણે બધાએ લોકડાઉનનું પાલન કરવું જોઇએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.