National

સ્થળાંતર કરનારાઓના પરત આવવાથી ગ્રામીણ વિસ્તારોમાં વાયરસના ફેલાવાને રોકવો એક મોટો પડકાર : અશોક ગેહલોત

(એજન્સી) જયપુર, તા.૧૩
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે મંગળવારે જણાવ્યું હતું કે, લાખો સ્થળાંતર કરનારા લોકોના પરત આવ્યા બાદ ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસનો ફેલાવો અટકાવવો એ આગામી મોટો પડકાર હશે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા જયપુર અને અજમેર વિભાગના ધારાસભ્યો અને સાંસદો સાથેની વાતચીત દરમિયાન ગેહલોતે જણાવ્યું હતું કે, લગભગ ૧૯ લાખ સ્થળાંતરકારોએ રાજ્યમાં પાછા ફરવા માટે નોંધણી કરાવી છે. તેમાંથી ૪થી ૫ લાખ લોકો રાજસ્થાનની બહાર અન્ય વિવિધ રાજ્યોમાં જવા માંગે છે.
ધારાસભ્યોને સ્થળાંતર કરનારા લોકોનું સ્વાગત કરવા તેમણે હાકલ કરી હતી અને કહ્યું હતું કે, ગામડાઓમાં વાયરસ ફેલાય નહીં તેની ખાતરી કરવા પરત ફર્યા બાદ તેઓને અલગ રાખવું પડશે.
તે આગળનું પડકાર હશે, એમ તેમણે ઉમેર્યું. જયપુરના સાંસદ રામચરણ બોહરાએ ઊભા કરેલા મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપતા ગેહલોતે જણાવ્યું હતું કે, લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે, રાજ્યની કોંગ્રેસ સરકાર જયપુર અને જોધપુરમાં મુસ્લિમ સમુદાયના સભ્યોને છૂટછાટ આપી રહી છે. જેના પગલે કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. બોહરાએ એક વ્યક્તિ દ્વારા રામગંજમાં ૬૦૦ જેટલા લોકોને ચેપ લાગ્યો હોવાનો દાવો કર્યો હતો અને તેની બેદરકારીને કારણે વાયરસ ફેલાયો હતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પક્ષના સ્થાનિક ધારાસભ્યો જૂના જયપુર શહેરમાં રાશન વિતરણમાં ભેદભાવ કરે છે. ગેહલોતે જણાવ્યું હતું કે, એક કોવિડ-૧૯ દર્દી ઘણાને ચેપ લગાવી શકે છે અને ક્વોરેન્ટાઇન પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન કરવું મહત્ત્વપૂર્ણ છે.
મુખ્યમંત્રીએ આગામી દિવસોમાં આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવા ધારાસભ્યો પાસેથી સૂચનો માંગ્યા હતા.
આરોગ્ય મંત્રી રઘુ શર્મા, પરિવહનમંત્રી પ્રતાપ સિંહ, વિપક્ષી નેતા ગુલાબચંદ કટારિયા અને અન્ય ધારાસભ્યો અને સાંસદો સહિતના અનેક પ્રધાનો કોન્ફરન્સમાં હાજરી આપી રહ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.