Gujarat

બોરસદમાં કોરોના વોરિયર્સ અઝહર અલીએ ઈદની ઉજવણી પણ કોવિડ સેન્ટરમાં જ કરી

(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૮
અમદાવાદની શેઠ એલ.જી. હોસ્પિટલમાં નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા બોરસદનાં મુસ્લિમ યુવાન કોરોનાં વોરીયર્સએ ઈદની પવિત્ર ઉજવણી પણ કોવીડ-૧૯ સેન્ટરમાં કોરોનાં પોઝિટિવ દર્દીઓની સેવા કરતા જ કરી હતી.
બોરસદ શહેરનાં સૈયદવાડા વિસ્તારમાં રહેતો અઝહરઅલી હજરતઅલી સૈયદ હાલમાં અમદાવાદની સેઠ એલ.જી. હોસ્પિટલમાં નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો છે, હાલમાં કોરોનાં મહામારી દરમિયાન કોરોના વોરીયર્સ અઝહરઅલીએ વિદેશથી આવનારા નાગરિકોનું એરપોર્ટ પર સ્ક્રીનીંગ, આયસોલેશન વોર્ડંમાં કોરોનાં પોઝિટિવ દર્દીઓની સારવાર તેમજ સર્વેલન્સ ટીમમાં પણ સેવા આપી છે. રમઝાનનાં પવિત્ર માસમાં રોઝા અને નમાઝ પણ કોરોનાં પોઝિટિવ દર્દીઓની વચ્ચે તેઓની સેવા કરતા જ તેણે બજાવી છે. થોડા દિવસો પૂર્વે કોરોનાં પોઝિટિવ તબીબનાં સંપર્કમાં આવવાનાં કારણે અઝહરઅલી સૈયદને ૧૪ દિવસ માટે કવોરોન્ટાઈન કરવામાં આવ્યો હતો, અને કવોરોન્ટાઈન સમય પૂર્ણ કર્યા બાદ તે પોતાની ફરજ પર પુનઃ હાજર થઈ ગયો હતો. હાલમાં ઈદ જેવી પવિત્ર ઉજવણી પણ તેઓએ પોતાનાં પરિવાર સાથે કરવાનાં બદલે આ મહામારીનાં સમયમાં લોકોની સેવા પ્રથમ સ્થાને હોઈ તેઓએ કોવીડ-૧૯ સેન્ટરમાં કોરોનાં પોઝિટિવ દર્દીઓની સારવાર સેવા કરતા જ ઈદની ઉજવણી કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.