International

વિજય માલ્યાના પ્રત્યાર્પણમાં વિલંબ થશે, તે રાજકીય શરણ માંગે તેવી શક્યતા : સીબીઆઈ

(એજન્સી) લંડન, તા.૪
પડતર કાનૂની મુદ્દા નહીં ઉકેલાતા, ભારતના ભાગેડુ આરોપી અને કિંગફિશર એરલાઈન્સના સ્થાપક વિજય માલ્યા કેટલાક સમય માટે ભારત પ્રત્યાર્પણથી બચી શકે છે. તેઓ હાલ બ્રિટનમાં જામીન પર મુક્ત છે. લંડનના સૂત્રોએ જણાવ્યું હતું કે, માલ્યા પોતાના પ્રત્યાર્પણને ટાળવા તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. સીબીઆઈના ટોચના અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, માલ્યા તમામ કાયદાકીય વિકલ્પો તપાસશે. પ્રથમ સત્તાવાર આદેશ બહાર પડશે અને ભારતના મિશનને સમર્થન મળશે. સીબીઆઈના અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યસભાના પૂર્વ સાંસદ વિજય માલ્યા પ્રત્યાર્પણથી બચવા રાજકીય શરણ પણ માંગી શકે છે. તપાસ એજન્સી આ શક્યતાથી સાવચેત છે જેથી પ્રત્યાર્પણનો સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો નથી. પ્રત્યાર્પણની અંતિમ નકલ હજુ જારી થઈ નથી. હાલ તેમનું પ્રત્યાર્પણ નહીં કરાય પહેલાં બ્રિટનની સરકાર જરૂરી પગલાં ભરશે ત્યારબાદ અમે જરૂરી કાર્યવાહી કરીશું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
International

બ્રિટનના પત્રકાર સંઘે ગાઝા પર ઇઝરાયેલના હવાઈહુમલામાં પાંચ પત્રકારોની હત્યાની ટીકા કરી

(એજન્સી) તા.૨૮બ્રિટિશ નેશનલ યુનિયન ઓફ…
Read more
International

અરબ લીગે અલ-અક્સા મસ્જિદ પરઇઝરાયેલના મંત્રીની ઘૂસણખોરીની નિંદા કરી

(એજન્સી) કૈરો, તા.૨૮અરબ લીગ (AL)ના…
Read more
International

બશર અસદના સંબંધીઓએ લેબેનોનથી બહાર જવાનો પ્રયાસ કરતાં ધરપકડ કરવામાં આવી

(એજન્સી) તા.૨૮સીરિયન રાષ્ટ્રપતિ બશર…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.