Ahmedabad

કોંગ્રેસ દ્વારા સતત ૧૫મા વર્ષે કારકિર્દી માર્ગદર્શન, ઈ-બુકનું વિમોચન કરાયું

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૭
ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ ભલે સત્તામાં નથી પરંતુ વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજ્જવળ બને તે હેતુથી છેલ્લા ૧પ વર્ષથી સતત દર વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્તક “કારકિર્દી ઊંબરે” ધોરણ-૧૨ પછી શું ? પુસ્તક અને ઈ-બુકનું વિમોચન કરી સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પથદર્શકનું કામ કરી રહી છે. આ પુસ્તક તૈયાર કરવામાં મુખ્યપ્રવકતા ડૉ. મનિશ દોશી અને તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
“કારકિર્દીના ઊંબરે” ધોરણ-૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકના રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઈ-બુક કોંગ્રેસ પક્ષની વેબસાઈટ www.incgujarat.com અને www.careerpath.info પરથી વિના મૂલ્યે ડાઉનલોડ થશે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યુ હતું કે, આ ઈ-બુક કારકિર્દી પસંદ કરવા ઉપયોગી સાબિત થશે. કોરોના મહામારીમાં વિદ્યાર્થી-વાલીઓને રાહત મળે તે માટે સત્ર ફી માફી અને માસ પ્રમોસનની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. તેમણે આ પુસ્તક તૈયાર કરવામાં સિંહફાળો આપનાર ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ. મનિષ દોશી, ડૉ. વિજય દવે, નિશીત વ્યાસ, હિરેન બેન્કર અને કિર્તન જાનીને કોંગ્રેસ પક્ષ તરફથી અભિનંદન પાઠવ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.