National

CAA વિરોધી દેખાવ : દેખાવકારોને સમર્થન આપવા પોતાનો ફ્લેટ વેચી દેનારા શીખ યુવકનું નામ દિલ્હી પોલીસની હત્યા સાથે સાંકળી દેવાયું

(એજન્સી) તા.૧૯
જ્યારે દેશભરમાં નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિરુદ્ધ દેખાવો ચાલી રહ્યા હતા ત્યારે ડી.એસ.બિન્દ્રા નામનો શીખ યુવક ચર્ચાનો વિષય બની ગયો હતો. ડી.એસ. બિન્દ્રાએ સીએએ વિરોધી દેખાવોને સમર્થન આપવા માટે પોતાનું ફ્લેટ પણ વેચી નાખ્યો હતો અને લંગરની વ્યવસ્થા કરી હતી. જોકે દિલ્હી પોલીસે તાજેતરમાં પોલીસ અધિકારી રતન લાલની કોમી હિંસા દરમિયાન હત્યા મામલે ચાર્જશીટ ફાઈલ કરી હતી. જોકે કારવાં ઇન્ડિયાના અહેવાલ અનુસાર આ ચાર્જશીટમાં ડી.એસ. બિન્દ્રાના નામને પણ ખોટી રીતે સાંકળી લેવાયું છે. ઓપી ઈન્ડિયાના અહેવાલ અનુસાર જમણેરી પાંખની હિન્દુત્ત્વ વેબસાઈટે દાવો કર્યો હતો કે તેમની પાસે એવા દસ્તાવેજ છે જે આ ચાર્જશીટ સંબંધિત છે અને તેમાં ડી.એસ. બિન્દ્રાનું નામ પણ સામેલ છે. તેમના પર પોલીસ અધિકારીની હત્યાના કાવતરામાં સહયોગ કરવાનો આરોપ મૂકાયો છે. કારવાં ઈન્ડિયા સાથેની વાતચીતમાં બિન્દ્રાએ આવા તમામ પ્રકારના આરોપોને ફગાવી દીધા હતા અને તેમણે પુષ્ટિ પણ કરી હતી કે દિલ્હી પોલીસે તેમને તપાસ માટે બોલાવ્યા છે. તેમણે કહ્યું કે મને તો આ આરોપો વિશે કંઈ જ ખબર નથી. મને શાહીનબાગના દેખાવો મામલે હાજર થવા માટે કહેવાયું છે. બિન્દ્રાની સાથે સાથે કાવતરાંખોરોમાં સલીમ ખાન, સલીમ મુન્ના, શાદાબનું પણ નામ સામેલ છે. ચાર્જશીટમાં કહેવાયું છે કે પોલીસ અધિકારી દેખાવ સ્થળે હંમેશા તૈનાત રહેતા હતા કે જેથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. જોકે રતન લાલની હત્યા બાદ બે અધિકારીઓની પૂછપરછ હાથ ધરાઈ હતી. તેમણે ખુલાસો કર્યો કે સલીમ ખાન, સલીમ મુન્ના, ડી.એસ. બિન્દ્રા, સુલેમાન સિદ્દીકી, અય્યુબ, અતહર, શાદાબ, ઉપાસના, રવિશંદ અને અન્ય લોકો સામેલ હતા જેઓએ આ દેખાવોનું પણ આયોજન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે ડી.એસ. બિન્દ્રા શાહીનબાગના દેખાવકારો માટે લંગરનું આયોજન કરતા હતા અને તેના માટે તેમણે પોતાનો ફ્લેટ પણ વેચી કાઢ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.