National

નફરતનું રાજકારણ : ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણ કેસોની ચાર્જશીટને જમિયત કોર્ટમાં પડકારાશે : અરશદ મદની

(એજન્સી) તા.રર
જમિયત ઉલેમા-એ-હિન્દે કહ્યું હતું કે, તે વકીલોની સમિતિ મારફતે ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના કેસોમાં પોલીસની ચાર્જશીટને પડકારશે. જમિયતના પ્રમુખ અરશદ મદનીએ આક્ષેપ કર્યો હતો કે, આ ચાર્જશીટ એકતરફી, પક્ષપાતી અને વિશેષ વિચારધારા તરફી છે. જમિયતના પ્રમુખે કહ્યું હતું કે, જમિયત પીડિતોને ન્યાય અપાવવા માટે બધા જ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરશે. વકીલોની ટીમ પીડિતોના કેસને જોશે અને જેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે તેમના પણ કેસને જોશે. દિલ્હી રમખાણોમાં સીએએ આંદોલનકારીઓની એકતરફી ધરપકડ અને એકતરફી કાર્યવાહી મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં જમિયત પ્રમુખે કહ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકડાઉનની વચ્ચે રાજકારણીઓએ તેમના ગુપ્ત એજન્ડા માટે પોલીસનો ઉપયોગ કર્યો, ખાસ કરીને મુસ્લિમ લઘુમતીઓ વિરૂદ્ધ. કોરોના વાયરસના ભયના કારણે જ્યારે લોકો તેમના ઘરની બહાર નથી નીકળતા ત્યારે સીએએ વિરોધી અભિયાનના આક્ષેપો હેઠળ નિર્દોષ મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી રહી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.