નવી દિલ્હી, તા.ર૪
કોરોના વાયરસના કારણે ત્રણ મહિના પછી ઈન્ટરનેશનલ ક્રિકેટની ઈંગ્લેન્ડથી વાપસી થઈ રહી છે. અહીં ૮ જુલાઈએ વેસ્ટ ઈન્ડિઝ-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરિઝની પહેલી મેચ રમવામાં આવશે. આ વચ્ચે ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી બોરિસ જોનસને ક્રિકેટ બોલથી કોરોના સંક્રમણના જોખમ વિશે વાત કરી. તેમણે કહ્યું, ક્રિકેટ પર લાગેલા પ્રતિબંધ હટાવવામાં નહીં આવે. પરંતુ તેની સીરિઝ પર કોઈ અસર થશે નહીં.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ કોરોનાને કારણે બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, ટેસ્ટમાં કોરોના કન્કશન (સબસ્ટિટ્યૂટ)નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. મેચ દરમિયાન હાથ ન મિલાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી અનેક ગાઈડલાઇન્સ ૈંઝ્રઝ્રએ રિલીઝ કરી છે. બોરિસ જોનસને મીડિયાને કહ્યું, ‘ક્રિકેટની સમસ્યા એ છે કે, દરેક સમજે છે કે બોલથી નેચરલ રીતે બીમારી ફેલાવવાનો ખતરો છે. મેં આ વિશે ઘણી વખત વૈજ્ઞાનિકો સાથે વાત કરી છે. આ ક્ષણે, અમે કોવિડ-૧૯થી ક્રિકેટને સુરક્ષિત રાખવા માટે વધુ કામ કરી રહ્યા છીએ. હજી સુધી અમે કોઈ ગાઈડલાઈન્સ બદલી નથી.