National

જો હોસ્પિટલો દર્દીઓને દાખલ કરવા ઈનકાર કરશે તો લાઈસન્સ છીનવી લઈશું : પશ્ચિમ બંગાળ સરકાર

(એજન્સી) તા.રપ
કોરોના વાઈરસની મહામારીના દોરમાં પશ્ચિમ બંગાળ સરકારના સ્વાસ્થ્ય વિભાગે સરકારી તથા ખાનગી હોસ્પિટલો એમ બંનેને ચેતવણી આપી હતી કે જો કોઈપણ દર્દીને સારવાર આપવા કે દાખલ કરવાનો ઈનકાર કરવા સંબંધિત સમાચાર મળ્યાં તો લાઈસન્સ જ રદ કરી દઈશું.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં પણ કોરોના મહામારીને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો છે અને આ દરમિયાન રાજ્યમાં આશરે ૫૦૦થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. સતત એવા સમાચાર મળી રહ્યા હતા કે સરકારી તથા ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને દાખલ કરવાનો ઈનકાર કરવામાં આવી રહ્યો છે.
જોકે આવા અહેવાલોને પગલે જ મમતા બેનરજીની સરકારે સરકારી તથા ખાનગી હોસ્પિટલે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી. એક આદેશમાં સ્વાસ્થ્ય ભવને કહ્યું કે સ્વાસ્થ્ય વિભાગે નિર્દેશ આપ્યો છે કે જો કોઈપણ ખાનગી હોસ્પિટલ દ્વારા કોઈ કોરોના દર્દી કે અન્ય રોગના દર્દીને સારવાર આપવાનો ઈનકાર કરવામાં આવશે તો તેનું લાઈસન્સ રદ કરવામાં આવશે.
જો તેમની સામે લાગેલા આરોપો સાચા સાબિત ઠરશે તો ખાનગી હોસ્પિટલ સામે ક્રિમિનલ કેસ પણ નોંધવામાં આવશે. સાથે જ સરકારી હોસ્પિટલોમાં સંબંધિત હેડ અને ડૉક્ટરોને ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે જો કોઈપણ એવા અહેવાલ મળશે કે દર્દીને સારવાર આપવાનો ઈનકાર કરાયો છે તો નોકરી તો જશે જ સાથે જરૂરી પગલાં અને કાર્યવાહી પણ કરવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.