Gujarat

બનાસકાંઠામાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક નવ થયો

પાલનપુર, તા.ર૬
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે જ્યાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું હતું. પાલનપુરના વ્યક્તિએ કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં શહેરભરમાં ફફડાટ પ્રસરી ગયો હતો. દરમિયાન જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક નવ થયો છે. જ્યારે પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૭૦એ પહોંચી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. એક પછી એક કેસ વધતાં લોકોમાં ફફડાટ પ્રસરી રહ્યો છે. જ્યાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું હતું. પાલનપુરના વ્યક્તિએ કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં શહેરભરમાં ફફડાટ પ્રસરી ગયો હતો. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મનિષ ફેન્સીએ જણાવ્યું હતું કે, પાલનપુરના છુવારા ફળી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધનો બે દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેમને પાલનપુર કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એમનું મોત નિપજ્યું હતું તેમના સંપર્કમાં આવેલા પરિવાર તેમજ અન્ય લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.