Site icon Gujarat Today

બેગલુરૂમાં કોરોનાનાં વધતા કેસો વચ્ચે ૧૪ જુલાઈ સુધી લોકડાઉનના જાહેરાત

(એજન્સી) બેગલુરૂ, તા.૧૧
કર્ણાટકની રાજધાની, બેંગલુરૂમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. કોરોના વાયરસના ઝડપથી ફેલાવાને કારણે રાજ્ય સરકારે ફરી એકવાર લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. બેંગલુરૂ અને તેના સાથે સંકળાયેલા શહેરી અને ગ્રામીણ જિલ્લાઓમાં કોવિડ-૧૯ના ફેલાવાને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ૧ અઠવાડિયાના લોકડાઉનની ઘોષણા કરી છે. આ લોકડાઉન ૧૪ જુલાઇ મંગળવારે સાંજે ૮ વાગ્યાથી લાગુ થશે અને ૨૩ જુલાઇએ સવારે ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે.લોકડાઉન બેંગલુરૂના શહેરી અને ગ્રામીણ બંને જિલ્લામાં રહેશે, જે મંગળવાર,૧૪ જુલાઈ, ગુરુવાર,૨૨ જુલાઇ, સવારે ૫ વાગ્યા સુધી શરૂ થશે. આ સમય દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓને છૂટ આપવામાં આવશે. કર્ણાટકના મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) એ જણાવ્યું છે કે આ બેંગ્લોર શહેરી અને ગ્રામીણ જિલ્લામાં ૧૪ જુલાઈથી સાંજના ૮ થી ૨૨ જુલાઈના રોજ સવારે ૫ વાગ્યા સુધી લાગુ રહેશે. જો કે જરૂરી સેવાઓ તેમજ નિયત પરીક્ષાઓને કારણે, શહેર અને આસપાસના ગ્રામીણ જિલ્લાઓને મંજૂરી આપવામાં આવશે. રાજ્ય સરકારે એક પ્રકાશન બહાર પાડીને કહ્યું હતું કે હોસ્પિટલો, કરિયાણાની દુકાન, ફળ, શાકભાજીની દુકાનો અને મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. તેમજ અનુસ્નાતક પરીક્ષાઓ લેવામાં આવશે. આજે વહેલી તકે મહેસૂલ મંત્રી આર.કે. અશોકે કહ્યું હતું કે શહેરમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી સાથે નવી લોકડાઉન લાગુ કરવા અંગે ચર્ચા કરવામાં આવી છે.

Exit mobile version