National

દેશમાં કોરોનાએ બધા રેકોર્ડ તોડ્યા બાદ ભારતમાં કોરોના કેસો ૧૫ લાખ થવાની નજીક

 

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
અનલોક-૩માં સિનેમા-જીમ વગેરે.ને ખોલવાની સંભાવના વચ્ચે અનલોક-૨ના ૨૬મા દિવસે કોરોના કેસોમાં કોઇ ઘટાડો થવાને બદલે ફરીથી ૫૦ હજારની નજીક કેસો સામે આવ્યાં છે. આજે સામવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના એટલે કે રવિવારના આંકડા જાહેર કરાયા ત્યારે કોરોનાના ૪૯,૯૩૧ કેસ નોંધાતા કુલ કેસ ૧૪ લાકને પાર કરીને ૧૪,૬૫,૮૦૧ થઈ ગયા છે. આ જ સમય ગાળામાં વધુ ૭૦૮ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક વધીને ૩૩,૧૨૧ સુધી પહોંચી ગયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૩૧,૫૦૨ દર્દીઓ સાજા થયા હતા. સાજા થનાર લોકોની સંખ્યા ૯,૩૬,૦૩૮ પર પહોંચી છે. વધુ કેસોની સંખ્યામાં હવે કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર હજુ પણ સૌથી આગળ છે. એક ઓગસ્ટથી અનલોક-૩ હેઠળ વધુ છૂટછાટ મળવાની શક્યતા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૧૪ લાખને પાર થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૪૯,૯૩૧ કેસ નોંધાતા કુલ કેસ ૧૪,૬૫,૮૦૧ થઈ ગયા છે. દેશભરમાં કોરોના વાયરસના ૪,૯૬,૨૧૪ સક્રિય કેસ છે. દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે ૩,૭૫,૭૯૯ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે ૧૩,૬૫૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨,૨૦,૭૧૬ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૩૫૭૧ લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧,૩૧,૨૧૯ કેસ નોંધાયા છે જ્યારે ૩૮૫૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ સૌથી વધુ કેસોની યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્રપ્રદેશમાં એક જ દિવસમાં ૬૨૯૮ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૪૧ લોકો મોતને ભેટ્યા છે. ત્યારબાદ પાંચમાં સ્થાન પર કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૯૬૧૪૧ કેસ નોંધાયા છે જ્યારે ૧૮૭૮ લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ ૬૬૯૮૮ કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે ૫૮૭૧૮ કેસ સાથે પશ્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. ગુજરાત આઠમાં ક્રમ પર છે જ્યાં ૫૫૮૨૪ લોકો સંક્રમણમાં આવ્યા છે ત્માંથી ૨૩૨૬ લોકો મોતને ભેટી ચૂક્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.