Gujarat

થાનગઢમાં ફાયરીંગ મામલે ફરિયાદ નોંધવા એસ.પી.ને પાઠવ્યું આવેદન

(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૧૪
થાનગઢ તાલુકાની સોસાયટીમાં બે રાઉન્ડ ફાયરીંગ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગેની પોલીસે એફ.આઈ.આર. નોંધવાની ધરાહારના પાડતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. થાનગઢ ખાતે સર્વોદય સોસાયટીમાં રહેતા વિભાભાઈ જહાભાઈના આવેદનપત્રમાં જણાવ્યાનુસાર ભનુભાઈ અનકભાઈ ખવડ (કાઠી) તેમજ અન્ય પાંચ ઈસમો તેમનાં ઘરે આવી તેમનાં પરિવારને ગાળો બોલવા લાગ્યા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વિભાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં બધા ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને રાત્રિના સુમારે પરત આવી તેઓએ વિભાભાઈના ઘરે બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેથી આસપાસનાં રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તેમજ ગોળી વિભાભાઈના શરીરને વાગી હોવાથી તેઓ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશને એફ.આઈ.આર નોંધાવા ગયા હતા પણ ફરજ પરનાં અધિકારીઓએ એફ.આઈ.આર નોંધવાની ના પાડી હતી. જેથી છએ આરોપીઓ ખુલ્લા હથિયારો લઈ સોસાયટીમાં ફરી રહ્યા છે. તેમજ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જેથી જિલ્લા પોલીસ અધિક્ષક તથા રાજ્ય પોલીસ મહાનિર્દેશકને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.