વડાપ્રધાનનું ઉદ્‌બોધન ચાલુ થાય તે પહેલા જ જિલ્લા અધિકારીઓએ ચાલતી પકડી !

પ્રાંતિજ, તા. ર૩
પ્રાંતિજના સીતવાડા નવાપુરા ખાતે પ્રધાનમંત્રી આવસ ઓનલાઈન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લામાં ૬૧.૩૯ કરોડના ખર્ચે તૈયાર થયેલ આવાસો ૪૧૦૮ લાભાર્થીઓને સામૂહિક ઈ ગૃહ પ્રવેશ આપવામાં આવ્યો.
પ્રાંતિજના સીતવાડા નવાપુરા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ઇ.ગૃહ પ્રવેશ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીતવાડા- નવાપુરામાં ૩૫ તથા પ્રાંતિજ તાલુકામાં ૨૩૫ તથા જિલ્લામાં ૪૧૦૮ લાભાર્થીઓને વલસાડના જુજવા ગામેથી સીધું વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રાંતિજ તાલુકાના સીતવાડા-નવાપુરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જિલ્લા તથા તાલુકાના લાભાર્થીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તો કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદ્દબોધન ચાલું થાય તે પહેલાં જિલ્લાના મુખ્ય અધિકારીઓએ સભા છોડીને ચાલતી પકડી હતી તો ઉપસ્થિત લોકોમાં ચર્ચાઓએ જોર પકડયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks