મોરબી,તા.પ
મોરબીના મહેન્દ્રનગર પાસે ગૌસેવકની કાર પર થોડા દિવસો પહેલા બે અજાણ્યા શખ્સોએ ચકચારી ફાયરીંગ પ્રકરણના બનાવમાં એલસીબીની તપાસમાં ખુદ ફરિયાદી કહેવાતો ગૌસેવક આરોપી હોવાનો ભાંડાફોડ થતા ખળભળાટ મચી ગયો હતો આ કહેવાતા ગૌસેવકે જ પોતાની ગેરકાયદેસર રહેલી ગૌશાળા બચાવવા માટે ભાડુતીમારાની મદદથી અન્ય જગ્યાએ કારમાં ફાયરીંગ કરી આ સ્થળે ઉભી રાખીને પોતાના પર ફાયરીંગ કર્યાની ખોટી સ્ટોરી ઉપજાવી કાઢી હોવાનો પોલીસની તપાસમાં પર્દાફાશ થયો હતો પોલીસે હાલ ગૌસેવક સહિત ચાર શખ્સોને દબોચી લીધા છે આ ચકચારી બનાવની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી પાસેના મહેન્દ્રનગરમાં આવેલી પોતાની નિરાધાર ગૌશાળા પાસે ગૌરક્ષક દિનેશ રામજીભાઈ લોરીયા ગત તા.૧૨ ફેબ્રુઆરીએ પોતાની સ્કોર્પિયો કારમાં બેઠા હતા તે સમયે બે અજાણ્યા શખ્સોએ બાઇક પર આવીને તેમની કારમાં ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યા હોવાનો બનાવ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરીયાદમાં જાણવા મળ્યુ હતુ આ બનાવ બાદ ગૌરક્ષકે પોતાના પર જાન લેવા હુમલાનો પ્રયાસ થયાની ફરિયાદ નોંધાવી હતી આથી બી ડિવિઝન અને એલસીબીએ આ બનાવની પ્રાથમિક તપાસ કરતા જ આ બનાવ શંકાસ્પદ લાગ્યો હતો તેથી એસ.પી ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નવનિયુક્ત એલસીબી પી.આઈ વી.બી.જાડેજા પીએસઆઇ આર.ટી.વ્યાસ સહિતના એલસીબી સ્ટાફે આ બનાવની જીણવટપુર્વક તપાસ હાથ ધરતા ગૌસેવક જ ખુદ આરોપી હોવાનો ભાંડાફોડ થયો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે મળેલી હકીકતના આધારે ફરિયાદ ગૌસેવકે પોતાની જમીન બચાવવા ખોટી ફરિયાદ કરી હોવાનુ ખુલ્યું હતુ વધુમાં જણાવ્યું હતું કે શકદારો અને સાહેદ અશ્વિન પરમાર અને કચ્છ ભચાઉના ચાર શખ્સોની મદદથી આ કારસ્તાન આચર્યું હતુ. ગૌસેવકે આ ચાર શખ્સોની મદદથી ભચાઉ પાસે પોતાની કારમાં ફાયરીગ કરી બાદમાં પોતાની મહેન્દ્રનગર પાસેની ગૌશાળા નજીક કાર રાખીને પોતાના પર ફાયરીગ કર્યા હોવાનું જણાવીને પોલીસને ઊંધા ચશ્મા પહેરાવ્યા હતા. આ ગૌસેવકની મહેન્દ્રનગર પાસે જે ગૌશાળા આવેલી છે. તે ગેરકાયદેસર છે અને ગૌશાળાની પાછળ ટાઉનશીપ બને છે તેનો રસ્તો ગૌશાળામાંથી નીકળે છે તેથી આ ગેરકાયદેસર રહેલી ગૌશાળા હટાવવાની હિલચાલ થતા ગૌસેવકે ૧૫ દિવસ અગાઉ પોતાના પર હુમલો થાય તેવી પોલીસને અરજી આપીને આ તુર્ત કર્યુ હતુ પોલીસે હાલ ગૌસેવક દિનેશભાઇ લોરીયા તેમજ અન્ય ચાર શખ્સોમાં ઈબ્રાહીમ ઇસ્માઇલ તરાયા રહે.શિકારપુર ભચાઉ સિકંદર ઇસ્માઇલ તરાયા રહે.શિકારપુર ભચાઉ અબ્દુલ ઓસમાણ તરાયાને દેશી તમંચા સાથે ઝડપી લીધા છે તેમજ વધુ એક આરોપી અશ્વિન પરમારને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ આરોપીએ ગેટ સામે ઉભેલી સ્ક્રોપિયો કારના મેઈન કાચ પર ફાયરિંગ કરી ખોટી રીતે બનાવને અંજામ આપ્યો હતો. જે ફાયરીંગ પ્રકરણને એલસીબી પોલીસે ઉકેલી આરોપીઓને સકંજામાં લીધા છે. જેની વધુ તપાસ એલસીબી બી.ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.