ઉનાના નવાબંદરમાં માછીમારોને ડીઝલનો જથ્થો નિયમિત મળતો નથી

ઉના, તા. ૩૧
ઉના તાલુકાના દરીયાંઇ કાંઠા વિસ્તારમાં આવેલ નવાબંદર ગામ માછીમારોનો વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને આ માછીમારોને બોટમાં ડિઝલ મારફતે દરીયામાં માછીમારી કરવા જતા હોય છે. પરંતુ સરકાર દ્રારા જી.એફ.સી.સી. ડેપો આવેલ હોય આ ડેપોમાં માછીમારોને અનિયમીત ડિઝલ આપવામાં આવે છે. પુરતો જથ્થો પણ ન મળતા માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હોય આ બાબતે નવાબંદર ગ્રામ્ય પંચાયત સરપંચ મજીઠીયાએ જી.એફ.સી.સી. ડેપો વેરાવળને લેખિત રજૂઆત કરી છે.
નવાબંદર ગામે જી.એફ.સી.સી ડેપો દ્રારા છેલ્લા ધણા સમયથી માછીમારને ડીઝલ પુરતુ આપવામાં આવતુ ન હોય અને પુરતો જથ્થો ન હોય તેના કારણે માછીમારો અવાર નવાર ધક્કા ખાવા પડતા હોય છે. આ ડેપોના મેનેજર અન્ય ડેપો રાજપરા ગામે ચાર્જમાં હોવાથી પુરતો સમય ફાળવી શક્તા ન હોય માછીમારોને નાછૂટકે ઉના ૧૦ કિ.મી. નુ અંતર કાપી કાળા બજારનુ મોંધુ ડિઝલ ખરીદી કરવા આવવુ પડે છે. આમ સરકાર દ્રારા અપાતા ડિઝલનો જથ્થો ન મળતા વધુ ખર્ચાઓનો ભોગ બનવુ પડે છે. આ ડેપોમાં તાત્કાલીક ધોરણે તંત્ર દ્રારા નિયમીત જથ્થો આપવામાં નહી આવે તો તમામ માછીમારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts