
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
આ વર્ષે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીમાં તમામ ટોચની ચાર બેઠકો પર જીત મેળવનાર ડાબેરી વિદ્યાર્થીઓમાં બે દલિત પીએચ.ડી. વિદ્વાનો સામેલ છે. SFIઐતિહાસિક રીતે ભારતની સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી વિદ્યાર્થી સંસ્થાઓમાંની એક રહી છે. છેલ્લા ચાર વર્ષમાં જેએનયુએસયુની આ પહેલી ચૂંટણી હતી. ૨૨ માર્ચે મતદાન થયું હતું અને ૨૪ માર્ચે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
યુનાઇટેડ લેફ્ટ પેનલે વિદ્યાર્થીઓના સંઘ પર તેની પકડ જાળવી રાખી છે, ચારમાંથી ત્રણ પદો જીતી લીધા, જ્યારે ચોથી બેઠક ડાબેરી ગઠબંધન દ્વારા સમર્થિત બિરસાઆંબેડકરફૂલે સ્ટુડન્ટ્સ એસોસિએશન (BAPSA) ઉમેદવારે જીતી છે. આ વર્ષે કુલ ૭૭૫૧ વિદ્યાર્થીઓએ પોતાનો મત આપવા માટે નોંધણી કરાવી હતી. ચાર ચૂંટાયેલા ઉમેદવારોએ ૨૬ માર્ચે શપથ લીધા હતા.
ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ના ધનંજયને સંઘના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા, જ્યારે અવિજિત ઘોષને ઉપપ્રમુખ અને મોહમ્મદ સાજિદને સંયુક્ત સચિવ જાહેર કરવામાં આવ્યા હતા. ડાબેરીઓ દ્વારા સમર્થિત બાપ્સાના પ્રિયાંશી આર્યએ જનરલ સેક્રેટરીનું પદ મળ્યું હતું. યુનાઈટેડ લેફ્ટે અગાઉ સ્વાતિ સિંહને જનરલ સેક્રેટરી પદ માટે ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા પરંતુ મતદાનના કલાકો પહેલા ચૂંટણી સમિતિ દ્વારા તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું.
આ પછી ડાબેરી ગઠબંધને વિદ્યાર્થીઓને પ્રિયાંશીને મત આપવાનું આહ્વાન કર્યું. કોવિડ-૧૯ રોગચાળાને કારણે ચાર વર્ષના અંતરાલ પછી ચૂંટણીઓ યોજાઈ હતી અને પરિણામોને લઈને વિદ્યાર્થીઓ અને નામાંકિત લોકોમાં ઉત્તેજના જોવા મળી હતી, કારણ કે ત્નદ્ગેંએ ઇજીજી, મ્ત્નઁ અને દક્ષિણપંથી દળોના આક્રમણનો સામનો કરી રહ્યું છે.
કુલ ૫૬૫૬ વોટમાંથી ધનંજયને ૨૫૯૮ વોટ મળ્યા. તેમણે અખિલભારતીય વિદ્યાર્થી પરિષદના ઉમેશ ચંદ્ર અજમીરાને ૯૨૨ મતોથી હરાવ્યા. ઉપાધ્યક્ષ પદ માટે, સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના અવિજિત ઘોષ ૨૪૦૯ મતો મેળવીને વિજેતા બન્યા હતા, તેમણે છમ્ફઁ તરફથી તેમના પ્રતિસ્પર્ધી દીપિકા શર્માને હરાવ્યા હતા.
ધનંજયે ચૂંટાયા પછી કહ્યું કે જેએનયુ કેમ્પસમાં લોકશાહી છે. કેમ્પસમાં ચાર વર્ષ પછી ચૂંટણી થઈ છે. વિદ્યાર્થી સમુદાયે બતાવ્યું છે કે તેઓ ડાબેરીઓમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. જનરલ સેક્રેટરીના પદ માટે, પ્રિયાંશી એબીવીપીના અર્જુન આનંદને ૯૨૬ મતોના માર્જિનથી હરાવીને ૨૮૮૭ મતો સાથે વિજેતા બની હતી. કેન્દ્રીય પેનલના ચાર હોદ્દાઓમાંથી એક હોદ્દો ધરાવનાર તે એકમાત્ર મહિલા છે અને આ વર્ષે મ્છઁજીછ તરફથી એકમાત્ર ઉમેદવાર છે. તાજેતરના વર્ષોની જેમ આ વર્ષે પણ ડાબેરીઓ અને એબીવીપી વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી હતી. ૨૦૧૯માં યોજાયેલી છેલ્લી ચૂંટણીની જેમ જ છમ્ફઁ તમામ ચાર પોસ્ટ પર રનર્સ-અપ તરીકે ઉભરી આવ્યું છે. જીહ્લૈંએ ત્નદ્ગેંજીેં ચૂંટણીમાં ઘણા વર્ષોથી ગઢ જાળવી રાખ્યો છે. ડાબેરી પેનલ ૨૦૧૬થી તમામ બેઠકો જીતી રહી છે. ૨૦૧૯ની જેમ, આ વર્ષે પણ, ડાબેરી વિદ્યાર્થીઓના સંગઠનોએ છમ્ફઁનો સામનો કરવા માટે છૈંજીછ, જીહ્લૈં, ડ્ઢજીહ્લ અને છૈંજીહ્લનું જોડાણ બનાવ્યું. આ વર્ષે ચૂંટણી માટે મતદાન ગયા વખતના ૬૮%ની સરખામણીએ આ વર્ષે ૭૩% વિદ્યાર્થીઓ મતદાન કરવા આવ્યા હતા. દ્રવિડમુન્નેત્રકઝગમ (ડ્ઢસ્દ્ભ)ના પ્રમુખ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કહ્યું છે કે જેએનયુએસયુ ચૂંટણીના પરિણામોએ ફાસીવાદી શક્તિઓના પતનનો સંકેત આપ્યો છે અને લોકસભા ચૂંટણીમાં લોકો એકજૂટ થઈને ભાજપને નકારી કાઢશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, સ્ટાલિને ડાબેરી પેનલને તેમની જીત પર અભિનંદન આપ્યા અને કહ્યું કે એબીવીપીની હિંસક રણનીતિ અને છેલ્લી ઘડીએ ડાબેરી ઉમેદવાર સ્વાતિ સિંહનું નામાંકન પણ રદ કરવું, તે તેમના પરાજયનો ભય દર્શાવે છે. તેમની શરમજનક ક્રિયાઓ હોવા છતાં, ત્નદ્ગેં સમુદાયે તેની સમૃદ્ધ પરંપરાને પુનઃ સમર્થન આપ્યું છે. આ જીત ફાસીવાદી શક્તિઓના પતનનો સંકેત આપે છે. ભારતની જનતા લોકસભાની ચૂંટણીમાં એકજૂટ થઈને ભાજપને નકારી દેશે.
વિજેતાઓમાં બે દલિતો ધનંજય અને પ્રિયાંશી છે, જેઓ બંને પીએચ.ડી. વિદ્વાનો છે. પ્રિયાંશી ઉત્તરાખંડના હલ્દવાનીની છે અને મધ્યમવર્ગીય પરિવારની છે. તેની માતા પ્રાથમિક શાળાના શિક્ષક છે અને તેના પિતા હાલમાં સ્વરોજગાર છે. ધનંજય ગયાના મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે અને છ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. તેના પિતા નિવૃત્ત પોલીસકર્મી છે અને માતા ગૃહિણી છે.
પ્રિયાંશીએ કહ્યું કે જ્યારે તે મોટી થઈ ત્યારે તેની જાતિના કારણે સમાજમાં તેની સાથે અલગ વ્યવહાર કરવામાં આવતો હતો. મારા પિતાએ તેમની નોકરી ગુમાવી દીધી કારણ કે તેઓ નીચલી જાતિના હતા. આવા અનુભવોએ મને બહુજન સમુદાય માટે સામાજિક કાર્ય કરવાની પ્રેરણા આપી છે. જનરલ સેક્રેટરી તરીકે, પ્રિયાંશી સૌપ્રથમ કેમ્પસમાં જાતીય સતામણી સામે અસરકારક લિંગ સંવેદના પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના ધરાવે છે. તેણીએ કહ્યું કે તે શિક્ષક બનવા માંગે છે અને હલ્દવાનીમાં તેના લોકો માટે સામાજિક કાર્ય કરવા માંગે છે.
પ્રિયાંશીએ એમ પણ કહ્યું હતું કે ડાબેરી પેનલે મ્છઁજીછને સમર્થન આપવા માટે સ્વૈચ્છિક સેવા આપી હતી કારણ કે તેમના ઉમેદવારનું નામાંકન રદ થયું હતું અને એબીવીપીને હટાવવાનો બીજો કોઈ રસ્તો નહોતો. નવા ચૂંટાયેલા ત્નદ્ગેંજીેં પ્રમુખ ધનંજયે રાંચીમાં અભ્યાસ કર્યો છે અને દિલ્હી યુનિવર્સિટીની અરબિંદો કૉલેજમાંથી સ્નાતક કર્યું છે, જ્યાં તેમણે પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો અને આંબેડકર યુનિવર્સિટી દિલ્હી (છેંડ્ઢ)માંથી માસ્ટર્સ કર્યું છે. હાલમાં, તેઓ પ્રથમ વર્ષ પીએચ.ડી. નો અભ્યાસ કરે છે. પ્રિયાંશીની જેમ, ધનંજયને પણ જાતિના ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો જેણે તેમને પછાત લોકો માટે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે, જ્યારે હું દિલ્હી આવ્યો ત્યારે પણ ઘણી ઘટનાઓ બની, જ્યાં મારા રૂમમેટના માતા-પિતા પૂછતા કે હું કઈ જાતિનો છું. ખૂબ જ નાની ઉંમરે, મેં જોયું કે મારા પરિવાર સાથે કેવી રીતે અલગ વર્તન કરવામાં આવે છે.
ધનંજયે ક્યારેય દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડી ન હતી, પરંતુ તેણે છેંડ્ઢ ખાતે કાઉન્સિલર તરીકે વિદ્યાર્થી રાજકારણમાં તેમની સફર શરૂ કરી હતી. પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ધનજયે વિદ્યાર્થી ફેલોશિપ માટે સ્ટાઈપેન્ડની રકમ વધારવા અને એક વિચારધારા ધરાવતા ફેકલ્ટી સભ્યોની ભરતીના મુદ્દાઓ ઉઠાવવાનું વચન આપ્યું હતું. છમ્ફઁ ક્યારેય ત્નદ્ગેં પર કબજો કરી શકતું નથી તે સમજાવતા, ધનંજયે કહ્યું કે કેમ્પસમાં પૈસા અને શક્તિથી કોઈ ફરક પડતો નથી, જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ પકહત પૃષ્ઠભૂમિમાંથી હોય છે. વિદ્યાર્થીઓ તેમના મતને મહત્વ આપે છે અને તેમના વિચારો માટે ઉમેદવાર પસંદ કરે છે. ભવિષ્યમાં રાજકારણી બનવાની ઈચ્છા ધરાવતા ધનંજયને થિયેટરમાં પણ રસ છે. તેઓ છેલ્લા બે દાયકામાં પ્રથમ દલિત ત્નદ્ગેંજીેં પ્રમુખ છે.