બારોડોલીના છીત્રા ગામમાં કેરીની ભાગબટાઈમાં ખેડૂતોની હત્યા

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના છીત્રા ગામમાં કેરીની ભાગબટાઇમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એક ખેડૂતની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. આ હત્યાના પગલે ખેડૂતના પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે.
જ્યારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના એક ખેડૂતની આંબાની વાડી બારડોલી તાલુકાના છીત્રા ગામે આવેલ હતી. આ વાડી એક વ્યક્તિને તેણે ભાડેથી આપી હતી. જે બદલ ભાડુઆતે ખેડૂતને ૪૦ હજાર રૂપિયાની કિંમતની ૭ મણ કેરી આપી હતી. ત્યારે ખેડૂતે વધુ ૮ મણ કેરીની માંગ કરી હતી. જોકે ભાગીયાએ કેરીઓ આપવાનો ઈન્કાર કરતા બન્ને વચ્ચે છેલ્લા બે-ત્રણ દિવસથી માથાકૂટ ચાલી રહી હતી. જેના કારણે ભાગીયાએ ખેડૂતની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. ખેતરના શેઢા પર જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ખેડૂતની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર છે. આ મામલે અત્યારે પોલીસે ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts