લોકસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ બિલ દબાણ હેઠળ પસાર કરાયું : માયાવતી

(એજન્સી) નવી દિલ્હી, તા.૮
બસપા અધ્યક્ષ માયાવતીએ મંગળવારે લોકસભામાં પસાર અનુસૂચિત જાતિઓ (એસસી) અને અનુસૂચિત જનજાતિઓ (એસટી) (અત્યાચાર નિવારણ) સંશોધન બિલ-ર૦૧૮ને આવકાર્યું હતું. જો કે તેમણે એમ પણ કહ્યું કે, આ બિલ આગામી ચૂંટણીને પગલે દબાણ હેઠળ પસાર કરવામાં આવ્યું છે. આ બિલ એસસી/એસટી કાયદા હેઠળ ધરપકડ વિરોધ સુરક્ષાના સંબંધિત સુપ્રીમ કોર્ટના આદેશને બદલી નાંખશે.
બસપા પ્રમુખે નિવેદનમાં જણાવ્યું કે, ઘણા લાંબા સમયના વિલંબ બાદ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આગામી ચૂંટણીને જોતા આ બિલ લોકસભામાંથી પસાર કરાયું છે. આ બિલ લોકસભામાં દબાણ હેઠળ પસાર થયા બાદ રાજ્યસભામાંથી પણ પસાર થઈ જાય એવી બસપા નેતાએ આશા વ્યક્ત કરી હતી. માયાવતીએ એસસી/એસટી બિલના પાસ થવાનો શ્રેય દબાણ બનાવવામાં સામેલ એસસી/એસટી સમુદાય સહિત પાર્ટીના સમર્થકોને આપ્યો હતો. જેમણે ર એપ્રિલ ભારત બંધમાં ભાગ લીધો હતો.
દલિત અને આદિવાસી મંત્રીઓ અને સત્તારૂઢ પાર્ટીના સાંસદો પર હુમલો કરતા બસપા નેતાએ જણાવ્યું કે, તેઓ આ મુદ્દે ચૂપ રહ્યા અને હવે લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મગરના આંસુ સારવા શરૂ કરી દીધા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks