National

આલોક વર્મા કેસમાં તપાસ રિપોર્ટ મોડેથી દાખલ કરાતાં સુપ્રીમ કોર્ટને મહત્ત્વપૂર્ણ સુનાવણી મોકૂફ રાખવા ફરજ પડી, સરકારે માફી માંગી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
સુપ્રીમ કોર્ટના સીજેઆઈ રંજન ગોગોઈ અને જજ એસ.કે. કૌલની બેંચે રિપોર્ટ સ્વીકારી રેકર્ડ ઉપર મૂકી અને આગામી સુનાવણી ૧૬મી નવેમ્બરે રાખી. સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા સામેની તપાસ રિપોર્ટ રજૂ કરવામાં સીવીસીએ ર૪ કલાક મોડું કર્યું હતું જેથી સુપ્રીમ કોર્ટને સુનાવણી મોકૂફ રાખવા ફરજ પડી હતી. સરકાર તરફે સોલિસિટર જનરલે સીલ બંધ કવરમાં રિપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. રિપોર્ટ રજૂ કરવામાં થયેલ વિલંબથી કોર્ટની નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. સીજેઆઈએ કહ્યું, તમે રજિસ્ટ્રી સમક્ષ રિપોર્ટ દાખલ કરવા નહીં આવ્યા અમે રવિવાર હોવા છતાંય ઓફિસ ૧૧.૩૦ સુધી ચાલુ રાખી હતી. એસજીએ કહ્યું કે, અમને મોડું થઈ ગયું અને રજિસ્ટ્રી બંધ થઈ હતી. એની સામે જજે કહ્યું કે તમોએ રજિસ્ટ્રીને સૂચના આપી હોત તો એ તમારી રાહ જોવા તૈયાર હતા પણ તમોએ કોઈ સૂચના પણ નહીં આપી આની સામે એસજીએ કોર્ટની માફી માગી હતી. દરમિયાનમાં આલોક વર્મા તરફે હાજર રહેલ વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે, તમે અધિકારીને બરતરફ કરવા રાત્રે ર.૦૦ વાગે ઓફિસ ખોલી શકો છો પણ રિપોર્ટ રજૂ કરતી વખતે હાજર નથી રહેતા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર એમ. નાગેશ્વર રાવે લીધેલ નિર્ણયોની રિપોર્ટ પણ રજૂ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે એ.કે. બસ્સીની અરજીની સુનાવણી કરવા પણ સંમતિ આપી હતી. બસ્સીએ પોતાની બદલીને પડકારી હતી. એમની બદલી કોઈપણ પ્રક્રિયા વિના પોર્ટ બ્લેર ખાતે કરાઈ હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
National

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

એજન્સી) તા.૧૦ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.