રાજકોટમાં જળાશયો નજીક સેલ્ફી લેવા પર પ્રતિબંધ

(સંવાદદાતા દ્વારા) રાજકોટ, તા.૨૯
શહેરના આજી-ન્યારી ડેમ પર સેલ્ફી ખેંચવા જતા મોત થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. થોડા દિવસો પૂર્વે જ ન્યારી ડેમમાં સેલ્ફી લેવા જતા બે યુવાનના ડૂબી જવાથી મોત નિપજ્યાનું સામે આવ્યું હતું. જેને પગલે વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ અટકાવવા ફાયર સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ દ્વારા આજી-ન્યારી તેમજ અટલ તળાવ નજીક સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
શહેરમાં આજી અને ન્યારી ડેમ લોકોને ફરવાના પ્રિય સ્થળ છે. ત્યારે જન્માષ્ટમીની રજાઓમાં આ બંને ડેમ પર દર વર્ષની જેમ ભીડ જામશે તે નિશ્ચિત છે. જેમાં આજીડેમ સિંચાઈ વિભાગની દેખરેખમાં હોઈ ગ્રીલ અને રેલીંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ન્યારી-૧ ડેમ મનપાની દેખરેખમાં હોઈ ત્યાં નવી સુરક્ષા મુકવામાં આવનાર છે. આ બંને ડેમ સાઈટ સહિત અટલ સરોવર પર હવે મુલાકાતીઓને સેલ્ફી લેવાની મનાઈ ફરમાવતા બોર્ડ મૂકી દેવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks