સ્વચ્છતાના હિમાયતી ગાંધીજયંતીના રોજ સ્માર્ટસિટી અમદાવાદનું એક દૃશ્ય

‘સ્વચ્છ ભારત અભિયાન’ની વાતો વચ્ચે સ્વચ્છતાના સ્થાને ગંદકીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પણ જેને સ્માર્ટસિટી બનાવવા માટે તંત્રએ ખરેખર કમર કસી છે ! એવા અમદાવાદના જમાલપુર વિસ્તાર પાસેના સરદારબ્રિજ પર તસવીરમાં દેખાતા કચરાના ઢગલા શું સૂચવી જાય છે ? વધુમાં શહેરના ભરચક વિસ્તાર ગીતામંદિર એસ.ટી. સ્ટેન્ડ પાસે રોડ પર રખડતી ગાયો. આ દ્રશ્યો અન્ય કોઈ સામાન્ય દિવસના નહીં પણ ર ઓકટોબર ગાંધીજયંતીના છે. આમ જેની સ્વચ્છતાની વાતો અને સમજણથી પ્રભાવિત થઈ અને પ્રેરણા લઈ સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયું. એ જ સાબરમતીના સંતના શહેરમાં સાબરમતી નદીના જ એક પુલ પર આટલી ગંદકી અને શહેરમાં રખડતા ઢોર. છતાં સ્માર્ટસિટી અને સ્વચ્છતાની મોટી-મોટી વાતો તો કરવાની જ અને ફોટા પડાવવા હોય ત્યારે હાજર રહેવાનું. આ બધુ આપણી અંદરની ગંદકી પર આડકતરો ઈશારો કરતો હોય તેવું નથી લાગતું ? ? ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts