UP: મુરાદાબાદ હાઉસિંગ સોસાયટીમાં મુસ્લિમ ડોક્ટરનેફ્લેટ વેચવાને લઈને ‘મકાન વાપસ લો’ના સૂત્રોચ્ચાર સાથે દેખાવ

(એજન્સી) તા.૫
ગુરૂવારે મુરાદાબાદમાં એક પોશ સોસાયટીમાં એક ઘર મુસ્લિમ સમુદાયના ડોક્ટરને વેચવાને લઈને વિરોધ ફાટી નીકળ્યો હતો, સ્થાનિક લોકોએ ફ્લેટ વેચનાર વ્યક્તિ સામે ‘ઘર પાછું લો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટના TDI સિટી સોસાયટીમાં બની હતી, જ્યાં રહેવાસીઓને ડર છે કે, જો ત્યાં કોઈ અન્ય સમુદાયમાંથી રહે છે તો ‘તે સોસાયટીના વસ્તી વિષયક માળખામાં ખલેલ પેદા કરશે.’ સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ ઘરના અગાઉના માલિક ડૉ.અશોક બજાજે આ પ્રોપર્ટી ડૉ.ઇકરા ચૌધરીને વેચી દીધી હતી. રહેવાસીઓએ કોલોનીના ગેટ પર ‘ડૉ.અશોક બજાજ તમારૂં ઘર પાછું લો’ એવા બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. ખરીદનાર અને વેચનાર બંને ટિપ્પણી માટે ઉપલબ્ધ ન હતા. અહેવાલમાં એક વિરોધીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આ એક હિન્દુ સમાજ છે, જ્યાં ૪૦૦થી વધુ હિન્દુ પરિવારો રહે છે. અમે નથી ઈચ્છતા કે અન્ય સમુદાયમાંથી કોઈ અહીં રહે. તેણે વધુમાં જણાવ્યું કે, આ ઘર એક મંદિર પાસે છે. ટીડીઆઈ સિટી સોસાયટીના પ્રમુખ અમિત વર્મા પણ વિરોધીઓ સાથે જોડાયા હતા. અન્ય એક રહેવાસીએ કહ્યું, અમને ડર છે કે, જો અન્ય સમુદાયો ત્યાં સ્થાયી થવાનું શરૂ કરશે અને હિન્દુઓ ત્યાંથી જશે તો સમાજના વસ્તી વિષયક માળખામાં ખલેલ પડશે અને અનિચ્છનીય ફેરફારો થઈ શકે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજકુમાર સિંહે જણાવ્યું હતું કે, સોસાયટીના સભ્યોએ ઘરના વેચાણ સામે વાંધો ઊઠાવતા ફરિયાદ નોંધાવી છે, અમે સંબંધિત પક્ષો સાથે વાત કરી રહ્યા છીએ અને સર્વસંમત, સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સંભલની એક મસ્જિદનું સર્વેક્ષણ કરવાના કોર્ટના આદેશ સાથે સંકળાયેલા ઉત્તરપ્રદેશમાં બીજા કોમી વિવાદ પછી આ ઘટના ટૂંક સમયમાં આવી છે. ૨૪ નવેમ્બરે સંભલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા મુગલ યુગની મસ્જિદની તપાસ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. અથડામણમાં ચાર લોકો માર્યા ગયા હતા અને ઘણા પોલીસ કર્મચારીઓ અને સ્થાનિકો ઘાયલ થયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts