Downtrodden

આંબેડકર વિવાદથી ધ્યાન હટાવવા માટે ભાજપ દલિત-કેન્દ્રિત જવાબી હુમલો કરશે

(એજન્સી) તા.૨૩
ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) દલિત મુદ્દાઓ પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP)ને નિશાન બનાવીને એક વળતી ઝુંબેશ શરૂ કરી રહી છે, જે બીઆર આંબેડકર પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તાજેતરની ટિપ્પણીની વિપક્ષની આક્રમક ટીકાનો સીધો જવાબ છે. આ વ્યૂહાત્મક પગલાનો હેતુ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયને એક કરવાનો અને શાહના નિવેદનો પરના વિવાદને કારણે ઊભી થતી ટીકાને દૂર કરવાનો છે. પાર્ટીએ તેના એસસી/એસટી મોરચાને ઉત્તરપ્રદેશ (યુપી)ના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મોટા પાયે ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલનો ઉદ્દેશ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અગાઉની કોંગ્રેસ અને એસપી સરકારો દ્વારા લેવામાં આવેલી દલિત વિરોધી નીતિઓ અને પગલાંઓને પ્રકાશિત કરવાનો છે. યુપી બીજેપી એસસી/એસટી મોરચાના પ્રમુખ રામ ચંદ્ર કનૌજિયાએ વિપક્ષના નિવેદનનો સામનો કરવા માટે પાયાની ઝુંબેશ શરૂ કરવાની પાર્ટીની યોજનાની ખીતરી કરી. તેમણે કે આ ઝુંબેશ ખાસ કરીને અગાઉની કોંગ્રેસ અને એસપી સરકારોના કથિત દલિત વિરોધી વલણ અને પગલાંને લક્ષ્ય બનાવશે. કન્નૌજિયાએ ભારપૂર્વક જણાવ્યું કે આ મહિનાના અંતમાં યોજાનારી પાર્ટીની સંગઠનાત્મક ચૂંટણીઓ પછી અભિયાન શરૂ થશે. ‘પક્ષ દલિત વિરોધી સૂત્રોચ્ચાર અને વિરોધ પક્ષો હેઠળની અગાઉની સરકારો દ્વારા લેવામાં આવેલા પગલાઓને પ્રકાશિત કરશે.

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.