(એજન્સી) તા.૨૩
ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) દલિત મુદ્દાઓ પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP)ને નિશાન બનાવીને એક વળતી ઝુંબેશ શરૂ કરી રહી છે, જે બીઆર આંબેડકર પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તાજેતરની ટિપ્પણીની વિપક્ષની આક્રમક ટીકાનો સીધો જવાબ છે. આ વ્યૂહાત્મક પગલાનો હેતુ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયને એક કરવાનો અને શાહના નિવેદનો પરના વિવાદને કારણે ઊભી થતી ટીકાને દૂર કરવાનો છે. પાર્ટીએ તેના એસસી/એસટી મોરચાને ઉત્તરપ્રદેશ (યુપી)ના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મોટા પાયે ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલનો ઉદ્દેશ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અગાઉની કોંગ્રેસ અને એસપી સરકારો દ્વારા લેવામાં આવેલી દલિત વિરોધી નીતિઓ અને પગલાંઓને પ્રકાશિત કરવાનો છે. યુપી બીજેપી એસસી/એસટી મોરચાના પ્રમુખ રામ ચંદ્ર કનૌજિયાએ વિપક્ષના નિવેદનનો સામનો કરવા માટે પાયાની ઝુંબેશ શરૂ કરવાની પાર્ટીની યોજનાની ખીતરી કરી. તેમણે કે આ ઝુંબેશ ખાસ કરીને અગાઉની કોંગ્રેસ અને એસપી સરકારોના કથિત દલિત વિરોધી વલણ અને પગલાંને લક્ષ્ય બનાવશે. કન્નૌજિયાએ ભારપૂર્વક જણાવ્યું કે આ મહિનાના અંતમાં યોજાનારી પાર્ટીની સંગઠનાત્મક ચૂંટણીઓ પછી અભિયાન શરૂ થશે. ‘પક્ષ દલિત વિરોધી સૂત્રોચ્ચાર અને વિરોધ પક્ષો હેઠળની અગાઉની સરકારો દ્વારા લેવામાં આવેલા પગલાઓને પ્રકાશિત કરશે.