આ બે દરગાહો પર દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છેઅને નફરતના સ્થાને પ્રેમનો સંદેશ આપવામાં આવે છે

(એજન્સી) તા.ર૮
દિવાળીમાં ભારતની ગંગા-જમુની સંસ્કૃતિની ધરતી જોઈએ. અવધમાં, દિવાળી અને હોળી દરમિયાન, હિંસા, વિભાજન અને નફરતને ભડકાવવાની કપટી યોજનાઓ હોવા છતાં, આ તહેવારોની વાસ્તવિક ભાવના દેવા શરીફ અને કિછોછા શરીફના સૂફી મંદિરોમાં આજે પણ જીવંત છે. દેવા શરીફ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી માત્ર ૪૨ કિમી અને અવધના હૃદય ગણાતા બારાબંકીથી ૧૨ કિમી દૂર છે. આંબેડકરનગર જિલ્લાના મુખ્ય મથકથી કિછોછા શરીફ ૨૦ કિમી છે. યુગોથી, આ બે દરગાહ દિવાળી અને હોળી દરમિયાન ગંગા-જામુની સંસ્કૃતિની મશાલને અતૂટ જુસ્સા સાથે પ્રગટાવી રહી છે, અને દેવા શરીફનો એક સરળ છતાં ગહન સંદેશ છેઃ જેઓ ધર્મના નામે લડે છે તેઓ તેનો સાર સમજી શકતા નથી. ‘જે રબ છે તે ભગવાન રામ પણ છે.’ હોળી દરમિયાન, મંત્રોચ્ચાર અબીલ ગુલાલના રંગો હવામાં હોય છે અને અહીંના લોકો એ ભૂલી જાય છે કે તેઓ હિન્દુ છે કે મુસ્લિમ છે કે શીખ છે. હોળીની ઉજવણી માટે આવતા મુલાકાતીઓ વિવિધ પ્રદેશો અને ધર્મોના યાત્રાળુઓ, જેઓ જુદી જુદી ભાષાઓ બોલે છે તેઓ હંમેશા શાંતિ, સંવાદિતા અને વિવિધતામાં એકતાના સંદેશ સાથે પાછા ફરે છે. દેવા શરીફ એ પ્રખ્યાત સૂફી સંત હાજી વારિસ અલી શાહની મઝાર છે, જેને વારિસ સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ સાથે મળીને હોળીની ઉજવણી કરે છે, એકબીજા પર સ્નેહથી રંગો ફેંકે છે, તેવી જ રીતે તેઓ દિવાળી દરમિયાન દીવાઓ પ્રગટાવે છે, આ પ્રસંગને જશ્ન-એ-ચિરાઘા તરીકે ઓળખવામાં આવે છે. આ દરગાહના પ્રવેશદ્વારને ‘કોમી એકતાના દરવાજા’ તરીકે ઓળખવામાં આવે છે. કડક નિયમો સાથે આ પરિસરમાં અશાંતિ ફેલાવી શકે તેવા કોઈપણ દ્વેષપૂર્ણ સૂત્રોચ્ચાર પ્રતિબંધિત છે. અહીં માત્ર સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપતા નારા લગાવવાની મંજૂરી છે. ઘણા લોકો આ પરંપરાઓને અવધના નવાબો સાથે જોડે છે, ખાસ કરીને નવાબ વાજિદ અલી શાહ અને તેમની રાણી હઝરત મહેલ, જેમણે એવી જીવનશૈલી અપનાવી હતી જે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે કોઈ ભેદભાવ ન કરે. એવું કહેવાય છે કે જ્યારે ઘણા લોકોએ ગંગા-યમુના પટ્ટામાં આ સંસ્કૃતિના વિકાસમાં ફાળો આપ્યો હતો, અને આવા અનેક સૂફી સંતોએ તેનો પાયો નાખ્યો હતો. અવધ આવા અસંખ્ય સૂફીનું ઘર છે, જેમાં મલિક મુહમ્મદ જયસીનો સમાવેશ થાય છે, જેનું નામ જયસ નગર સાથે જોડાયેલું છે. વિદ્વાનો ચર્ચા કરે છે કે તેનો જન્મ રાયબરેલી જિલ્લાના જયમાં થયો હતો કે સુલતાનપુર જિલ્લાનો ભાગ હતો તે હવે અમેઠીમાં છે. કિછોછા શરીફની વાત કરીએ તો અહીં દિવાળીનો મેળો ‘અઘનમેળા’ તરીકે ઓળખાય છે, તે દિવાળીથી શરૂ થાય છે અને ૪૦ દિવસ સુધી ચાલે છે. દિવાળીની રાત્રે, પવિત્ર તળાવના કિનારો મીણબત્તીઓ અને ઘીનાં દીવા પ્રકાશિત થાય છે અને સમગ્ર દરગાહ ધૂપની સુગંધથી ભરાઈ જાય છે. આ ઉજવણીને આઘન મેળાનો સાર માનવામાં આવે છે, જ્યાં બાળકોનું તેમનું પ્રથમ મુંડન કરવામાં આવે છે. આ મેળા દરમિયાન ગુસ્લ મુબારક નામનો વધારાનો બે દિવસનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જ્યાં ઉજવણી પછી સંત મખદૂમ અશરફ જહાંગીર સિમ્નાનીના મઝારને ગુલાબના ૪૦ ઘડા અને કેવરા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. આ પવિત્ર જળ ભક્તોમાં વહેંચવામાં આવે છે. કિછોછા શરીફનું વિશિષ્ટ આકર્ષણ તેના અજોડ સૂફી પાત્રમાં છે. આ દરગાહ પર સતત ભક્તો અને ફકીરો આવતા રહે છે. આ દરગાહના સંત મખદૂમ અશરફ જહાંગીર સિમનાનીનો જન્મ ઈરાનના સિમ્નાન પ્રાંતમાં થયો હોવાનું કહેવાય છે. ૧૩ વર્ષની ઉંમરે, તે પ્રાંતના શાસક બન્યા પરંતુ ટૂંક સમયમાં તેમણે તેના નાના ભાઈને ગાદી આપી અને સૂફીવાદનો માર્ગ પસંદ કર્યો. સૂફીવાદનો સંદેશ ફેલાવવા માટે વિશ્વભરમાં ભ્રમણ કર્યા પછી, તેઓ ભારતમાં આવ્યા અને કિછોછાને તેમનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું હતું. એવી દંતકથા છે કે તેમણે છ સદીઓ પહેલા નીરશરીફ તળાવનું ખોદકામ કરાવ્યું હતું અને એવી માન્યતા છે કે જે લોકો આ તળાવમાં સ્નાન કરે છે તેની તમામ બીમારીઓ દૂર થાય છે. આ વાર્ષિક ઉર્સ (પુણ્યતિથિ) મોહર્રમ મહિનાની ૨૫મીથી ૨૮મી સુધી રાખવામાં આવે છે, જે ૨૮મી તારીખે અશરફ સિમનાની આ દુનિયામાંથી વિદાય લેવાની તારીખ છે. પરંપરા મુજબ, દરગાહના વર્તમાન વડા સદીઓ જૂનો પવિત્ર ઝભ્ભો પહેરે છે, અને ભક્તો આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભેગા થાય છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન તમામ મનોકામનાઓ અને પ્રાર્થનાઓ પૂર્ણ થાય છે. ઉર્સ ઉપરાંત, મર્હેર્રમનો મેળો પણ હોય છે જે ૩જીથી ૧૦મી મહોર્રમ સુધી યોજાય છે, જેમાં ચૌકી, આલમ અને તાજિયાના જુલૂસ નીકળે છે જે ૧૦મીની રાત્રે સમાપ્ત થાય છે. આ જુલૂસ નીરશરીફના કિનારે મોટા તાજિયાની સાથે કેટલાક નાના તાજિયાઓને દફનાવીને સમાપ્ત થાય છે. મોટા તાજિયા દરગાહ પર ભક્તો દ્વારા આપવામાં આવતી ઔપચારિક ચાદરમાંથી બનાવવામાં આવે છે. રજબ મહિનામાં (ઇસ્લામિક કેલેન્ડરનો સાતમો મહિનો) બે સપ્તાહનો અજમેરી મેળો થાય છે, જે દરમિયાન અજમેર શરીફ તરફ જતા શ્રદ્ધાળુઓ તેમની યાત્રા ચાલુ રાખતા પહેલા આશીર્વાદ માટે અહીં રોકાય છે. દર મહિનાના પ્રથમ ગુરુવારે નૌચંડીમેળો, ઉર્ફે માસિક મેળો પણ યોજાય છે. આજે એવા સમયે જ્યારે દેશમાં નફરત ફેલાઈ રહી છે, ત્યારે આ દરગાહ સંવાદિતા અને એકતાના જીવંત પ્રતીકો છે, અને નફરત અને દ્વેષની અવગણના કરતાં તેજસ્વી રીતે એકતાને પ્રકાશિત કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts