ઇઝરાયેલના નવા સ્થળાંતર આદેશોના કારણે ગાઝામાં ૨,૫૦,૦૦૦થી વધુ લોકોને ફરીથી પલાયન કરવું પડ્યું

(એજન્સી) તા.૨૭
ઇઝરાયેલે રવિવારે મોડી રાત્રે મધ્ય ગાઝામાં દેર અલ-બાલાહ માટે નવા સ્થળાંતર આદેશો જારી કર્યા, જેનાથી વધુ પરિવારોને ભાગી જવાની ફરજ પડી. ઇઝરાયેલે જણાવ્યું કે, તેના દળો હમાસ અને આ વિસ્તારમાં કાર્યરત અન્ય લોકો સામે કાર્યવાહી કરવાનો ઇરાદો ધરાવે છે. તાજેતરના દિવસોમાં ઇઝરાયેલે ગાઝામાં બહુવિધ સ્થળાંતર આદેશો જારી કર્યા છે, જે ૧૦-મહિનાના યુદ્ધની શરૂઆત પછીના સૌથી વધુ છે, અગ્રણી પેલેસ્ટીની યુએન અને રાહત અધિકારીઓએ માનવતાવાદી ક્ષેત્રો અને સલામત ક્ષેત્રોની ગેરહાજરી અંગે ફરિયાદ કરી છે. દેઇર અલ-બાલાહ નગરપાલિકાનું કહેવું છે કે, ઇઝરાયેલના સ્થળાંતરના આદેશોને કારણે અત્યાર સુધીમાં ૨૫૦,૦૦૦ લોકો વિસ્થાપિત થયા છે. ટિ્‌વટર પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં ઇઝરાયેલી દળોએ કેટલાક વિસ્તારોના રહેવાસીઓને તાત્કાલિક પશ્ચિમ તરફ જવા વિનંતી કરી, કારણ કે તેઓ જે વિસ્તારમાં છે તેને “ખતરનાક યુદ્ધ ક્ષેત્ર” ગણવામાં આવે છે. સોમવારે ઇઝરાયલી સૈન્ય હુમલામાં ઓછામાં ઓછા સાત પેલેસ્ટીની મૃત્યુ પામ્યા હતા, એમ તબીબોએ જણાવ્યું હતું. દેર અલ-બાલાહમાં બે લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યાં લગભગ એક મિલિયન લોકો આશ્રય લઈ રહ્યા છે, બે નુસરત કેમ્પની એક શાળામાં મૃત્યુ પામ્યા છે અને ઇજિપ્તની સરહદ નજીકના દક્ષિણી શહેર રાફાહમાં ત્રણ મૃત્યુ પામ્યા હતા. ડોકટરોએ જણાવ્યું કે, બે અલગ-અલગ ઇઝરાયેલી હુમલામાં સાત અન્ય લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં ખાન યુનિસમાં એક કારમાં પાંચ અને ગાઝા સિટીની એક શાળામાં બેનો સમાવેશ થાય છે. બાદમાં સોમવારે, ચિકિત્સકોએ રોઇટર્સને જણાવ્યું હતું કે, ગાઝા સિટી કિનારે તંબુ પર ઇઝરાયેલી હુમલામાં છ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા. નવા આદેશોએ ઘણા પરિવારો અને દર્દીઓને અલ-અક્સા શહીદ હોસ્પિટલ, દેર અલ-બાલાહમાં મુખ્ય તબીબી કેન્દ્ર, જ્યાં લાખો રહેવાસીઓ અને વિસ્થાપિત લોકોએ આશ્રય લીધો છે, બોમ્બ વિસ્ફોટના ભયથી છોડી દેવાની ફરજ પડી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts