કારમી હાર બાદ BCCI એકશનમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, અશ્વિન અને રવીન્દ્ર જાડેજા મુશ્કેલીમાં

BCCI ના એક અધિકારી અનુસાર ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ આ ચાર દિગ્ગજમાંથી બેની કારકિર્દી સમાપ્ત થઈ શકે છે

નવી દિલ્હી, તા.૫
ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચોની સિરીઝમાં ૦-૩થી વ્હાઈટવોશ થયા બાદ બીસીસીઆઈ મૂલ્યાંકન કરશે અને ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ અમુક દિગ્ગજ ખેલાડીઓની આ ફોર્મેટમાં કારકિર્દી સમાપ્ત થઈ શકે છે. બીસીસીઆઈ ડબ્લ્યુટીસીના આગામી ચક્રની શરૂઆત પહેલા અનુભવી ખેલાડીઓને તબક્કાવાર બહારનો રસ્તો બતાવવાનું મન બનાવી રહ્યું છે. આ વાતની ઘણી વધારે સંભાવના છે કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ રોહિત શર્મા, વિરાટ કોહલી, અશ્વીન અને જાડેજામાંથી ઓછામાં ઓછા બે માટે અંતિમ સિરીઝ હોઈ શકે છે. આ ચારેય ખેલાડીઓ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ ગોપનીયતાની શરતે કહ્યું કે આનું ચોક્કસ રીતે આકલન કરવામાં આવશે અને આ અનોપચારિક હોઈ શકે છે. કારણ કે ટીમ ૧૦ નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે. આ એક મોટી હાર છે. પણ ઓસ્ટ્રેલિયા સિરીઝ નજીક છે અને ટીમની જાહેરાત પહેલા જ થઈ ચૂકી છે. એટલા માટે હાલ કોઈ ફેરફાર થશે નહીં. તેમણે કહ્યું કે ભારત જો ઈંગ્લેન્ડમાં રમાનારી ડબ્લ્યુટીસી ફાઈનલ માટે ક્વોલિફાઈ નહીં કરે તો આ વાતની ઘણી સંભાવના છે કે આ ચારેયમાંથી અમુક નામ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ મેચોની સિરીઝમાં હશે નહીં. આ ચારેય ઘરેલુ મેદાન પર સંભવત એક સાથે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી લીધી છે. એવું કહેવાય છે કે બીસીસીઆઈ ર૦૧૧ની સ્ટોરીનું પુનરાવર્તન કરવા માંગતી નથી જ્યારે ટીમનું પ્રદર્શન કથળ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts