ધાર્મિક અલ્પસંખ્યકો માટે ભંડોળની ફાળવણી પરના ટિ્‌વટ અંગેની પત્રકાર રાહુલ શિવશંકરનીFIR રદ કરવાની અરજી અંગે કર્ણાટક હાઈકોર્ટે ફરિયાદીને નોટિસ જારી કરી

(એજન્સી) તા.ર૧
કર્ણાટક હાઈકોર્ટે બુધવારે પત્રકાર રાહુલ શિવશંકરને અગાઉ આપવામાં આવેલી અસ્થાયી રાહત ચાલુ રાખી હતી, જેમણે ધાર્મિક લઘુમતીઓના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા ભંડોળની ફાળવણી અંગેના તેમના ટ્‌વીટ માટે તેમની સામે નોંધાયેલી એફઆઈઆરને રદ કરવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. ન્યાયાધીશ એસ વિશ્વજીથ શેટ્ટીની સિંગલ જજની બેન્ચે કહ્યું કે, સુનાવણીની આગામી તારીખ સુધી પ્રતિવાદી અરજીકર્તા વિરુદ્ધ કોઈ પગલાં લેશે નહીં. વધુમાં તેણે ફરિયાદી એન અમ્બરેશને આપાતકાલીન નોટિસ જારી કરી હતી. સરકારી વકીલે હાલના કેસમાં નોંધવામાં આવેલી માહિતીની નકલ રજૂ કરી હતી. કોલારના કાઉન્સિલર એન અંબરેશે વકફ પ્રોપર્ટી, મેંગ્લોરમાં હજ ભવન અને ખ્રિસ્તી ધર્મસ્થાનોના વિકાસ માટે ભંડોળની ફાળવણી વિશે શિવશંકરના “વ્યંગાત્મક” ટ્‌વીટનો વિરોધ કરતા કોલારના કાઉન્સિલર એન અંબરેશેની ફરિયાદ પર આ પત્રકાર પર IPCની કલમ ૧૫૩ Aઅને ૫૦૫ હેઠળ ગુનો નોંધ્યો હતો. કાઉન્સિલરે આક્ષેપ કર્યો હતો કે અરજદાર (શિવશંકર)ના આવા નિવેદનો ધાર્મિક જૂથો વચ્ચે દ્વેષ/અસંવાદિતાને ઉશ્કેરવાનું વલણ ધરાવે છે. શિવશંકરે દાવો કર્યો હતો કે આ ટ્‌વીટ વિવિધ અખબારના અહેવાલો તેમજ રાજ્ય સરકાર દ્વારા જ પ્રકાશિત બજેટ ભાષણમાંથી તથ્યોની યોગ્ય ચકાસણી કર્યા પછી પ્રકાશિત કરવામાં આવી હતી. એક પત્રકાર તરીકે, તે મહત્વના મુદ્દાઓ પર જનજાગૃતિ વધારવા માટે ઘણી વખત આ રીતે તથ્યપૂર્ણ ટ્‌વીટ્‌સ શેર કરે છે પરંતુ તે જ તેનો ઉપયોગ કોઈપણ ગુનાખોરી માટે કરી શકાતો નથી. તેમણે માત્ર એક ખુલાસો માંગ્યો હતો કે શા માટે રાજ્ય સરકારને મોટી આવક આપતા મંદિરોને બજેટમાં કોઈ ભંડોળ ફાળવવામાં આવ્યું નથી જ્યારે અન્ય ધાર્મિક સ્થળોએ મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે. આવો પ્રશ્ન, કોઈપણ રીતે ધાર્મિક જૂથો વચ્ચે દ્વેષ પેદા કરવાનો પ્રયાસ ગણી શકાય નહીં. જો આવા પ્રશ્નોને ધાર્મિક જૂથો વચ્ચે દ્વેષ પેદા કરવાના પ્રયાસ તરીકે ઓળખવામાં આવે તો કોઈ પત્રકાર કે વ્યક્તિ ક્યારેય પ્રશ્ન કરી શકશે નહીં. આ દેશમાં ધર્મને લગતા મુદ્દાઓના સંદર્ભમાં કોઈપણ પ્રશ્નો પૂછવાનો અધિકાર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts