Downtrodden

પક્ષોના દલિત એકત્રીકરણ પ્રયાસનો લિટમસ ટેસ્ટ

(એજન્સી) તા.૧૫
આ તબક્કામાં ૨.૪૬ કરોડથી વધુ મતદારો તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવા માટે લાયક હશે. જે ૧૩ બેઠકો પર મતદાન થવાનું હતું, ત્યાં ૨૦૧૯માં લગભગ ૫૯% મતદાન થયું હતું. અખિલેશે ૨૦૦૦થી ૨૦૧૨ સુધી કન્નૌજનું પ્રતિનિધિત્વ કર્યું, જ્યારે તેમણે યુપીના સીએમ તરીકે પદ સંભાળવા માટે સીટ ખાલી કરી હતી. અખિલેશની પત્ની ડિમ્પલે પેટાચૂંટણીમાં સીટ જીતી અને પછી ૨૦૧૪માં તેને જાળવી રાખી. ૨૦૧૯માં સૌથી મોટો અપસેટ ત્યારે થયો, જ્યારે ભાજપના સુબ્રત પાઠકે ડિમ્પલ પાસેથી સીટ છીનવી લીધી. આ વખતે એસપી ચીફને પડકારવા માટે પાઠક ફરી મેદાનમાં છે. અખિલેશ પોતાને યુપીમાં ભગવા બ્રિગેડના સૌથી પ્રબળ હરીફ તરીકે ગણાવી રહ્યા છે. બીએસપીએ ઈમરાન બિન જાફરને મેદાનમાં ઉતાર્યા છે, જે સંભવિતપણે એ મુસ્લિમ વોટ બેઝ પોતાની તરફ ખેંચી શકે છે, જે પરંપરાગત રીતે સપાની તરફેણમાં મતદાન કરે છે. આ તબક્કો પણ અનન્ય હશે. કારણ કે, તેમાં મહત્તમ પાંચ અનામત બેઠકોનો સમાવેશ થાય છે, જે સંભવિતપણે તમામ રાજકીય પક્ષોની દલિત એકત્રીકરણના પ્રયાસની કસોટી કરશે. આરક્ષિત બેઠકોમાં શાહજહાંપુર, હરદોઈ, મિસરિખ, ઈટાવા અને બહરાઈચનો સમાવેશ થાય છે. બીજેપીએ બહરાઇચ સિવાય તમામ વર્તમાન સાંસદોને અનામત બેઠકો પર જાળવી રાખ્યા છે. બહરાઇચમાં ભગવા સંગઠને અક્ષયબર લાલ ગોંડને બદલે તેમના પુત્ર આનંદ ગોંડને ટિકિટ આપી છે. આનંદને સપાના રમેશ ગૌતમ અને બસપાના બ્રજેશ સોનકર પડકાર આપશે. બીજી સીટ જ્યાં બીજેપીએ તેના વર્તમાન સાંસદને બદલ્યા છે, તે કાનપુર છે. અહીં ભાજપે પક્ષના દિગ્ગજ નેતા સત્યદેવ પચૌરીના સ્થાને રમેશ અવસ્થીને મેદાનમાં ઉતાર્યા છે, જે ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં રામ મંદિર ચળવળની ચરમસીમાએ ભગવા પક્ષની તરફેણમાં મતદાન કરતી તેની પરંપરાગત બ્રાહ્મણ મત બેંકને મજબૂત કરવા માટે ભાજપના સંકલિત પ્રયાસ ને દર્શાવે છે. પૂર્વ પત્રકાર અને કેસરી નેતાઓના નજીકના ગણાતા અવસ્થી ચૂંટણીના રાજકારણમાં પ્રમાણમાં નવા છે. તેમનો મુકાબલો સપા સમર્થિત કોંગ્રેસના ઉમેદવાર આલોક મિશ્રા અને બસપાના કુલદીપ ભદોરિયા, ઠાકુર સામે થશે. એસપી કુળના હોમ ડિસ્ટ્રિક્ટ ઇટાવામાં તીવ્ર હરીફાઈની અપેક્ષા છે. અગાઉનીBSPસરકારના મહત્વાકાંક્ષી લાયન સફારી પ્રોજેક્ટને આશ્રય આપતો મત વિસ્તાર, BSP ના સ્થાપક કાંશીરામની જાતિ જોડાણ લેબ તરીકે પણ જાણીતો છે. જેમણે ૧૯૯૧માં તત્કાલિન જનતા પાર્ટીના નેતા અને જીઁના સ્થાપક મુલાયમ સિંહ યાદવના સમર્થનથી બેઠક જીતી હતી.
ઇટાવા જે ૧૯૯૯ અને ૨૦૦૯ની વચ્ચે એસપીનું રાજકીય ગઢ હતું. તેણે ૨૦૧૪માં જ્યારે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટીએ ભારે બહુમતી સાથે સત્તા પર આવી, ત્યારે મતદારોએ ભાજપ પ્રત્યે વફાદારી બદલી હતી. ૨૦૧૪માં ભાજપના અશોક દોહરેએ આ બેઠક જીતી હતી. જ્યારે તેઓએ કોંગ્રેસમાં પક્ષપલટો કર્યો ત્યારે ભાજપે પૂર્વ એસસી/એસટી કમિશનના અધ્યક્ષ રામ શકર કથેરિયાને મેદાનમાં ઉતાર્યા હતા. જેમણે ૨૦૧૯માં આ બેઠક જીતી હતી. કથેરિયા, એક ધાનુક દલિત, ફરી મેદાનમાં છે અને તેમની સામે એસપીના જિતેન્દ્ર દોહરે છે, જે એક જાટવ છે જે જાતિના મ્જીઁ વડા માયાવતી છે. ઉન્નાવમાં એક રસપ્રદ સ્પર્ધા ચાલી રહી છે જ્યાં ભાજપે તેના લોધ જાતિના વર્તમાન સાંસદ સાક્ષી મહારાજને ફરીથી ઉતાર્યા છે. પાંચ ટર્મના સાંસદ એવા તેમણે ૧૯૯૧માં મથુરામાંથી, ૧૯૯૬ અને ૧૯૯૮માં ફર્રુખાબાદથી અને પછી આખરે ૨૦૧૪ અને ૨૦૧૯માં ઉન્નાવથી જીત્‌ મેળવી હતી. આ વખતે તેમનો સામનો જીઁના અન્નુ ટંડન સામે છે.