ભારતની આઝાદીમાં ભવ્ય યોગદાન આપનારા એવા મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બહાદુર મહિલાઓ, જેમના ઈતિહાસને આજે ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

યુસુફ મહેરઅલી

દેશની આઝાદીના મુસ્લિમ વીરો – મોહમ્મદ થાહા એ

“મેરા દેશ આઝાદ હૈ.”
ભારતે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી, અને તેને હવે ૭૫ વર્ષ થઈ ગયા છે. આ એક મહત્વપૂર્ણ દિવસ હતો. અને આ આઝાદી સંખ્યાબંધ ચળવળો અને સંઘર્ષોનું પરિણામ હતું. આ આંદોલનો ૧૮૫૭ના પ્રખ્યાત બળવાથી શરૂ થયા હા અને બ્રિટિશ વહીવટીતંત્રના સમગ્ર સમયગાળા દરમિયાન અનેક ચળવળ કરવામાં આવી હતી. ગાંધીજી, જવાહરલાલ નહેરુ, વલ્લભાઈ પટેલ, અબ્દુલ ગફાર ખાન, મૌલાના આઝાદ અને અન્ય અગ્રણી વ્યક્તિઓ હતા. પ્રીતિલતા વાડેદાર, કસ્તુરબા ગાંધી, વિજયા લક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ એ મહિલા નાયિકા હતી જેમણે ભારતીય મહિલાઓને સ્વતંત્ર બનવા અને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આઝાદીની આ ચળવળમાં મુસ્લિમોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું આયોજન અને નેતૃત્વ મૌલવી અહમદુલ્લાહ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિટિશ રાજ વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ ૨૭ વર્ષની ઉંમરે ફાંસી પર લટકનાર પ્રથમ વ્યક્તિ અશફાકુલ્લા ખાન હતા. શાહ નવાઝ ખાને ઇન્ડિયન નેશનલ આર્મી (INA)માં રાજકારણી ઉપરાંત મુખ્ય અધિકારી અને કમાન્ડર તરીકે સેવા આપી હતી. હાલમાં ભારતીય મુસ્લિમો દેશમાં અનેક ભેદભાવનો સામનો કરી રહ્યા છે અને તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોમવાદી પક્ષો મુસ્લિમોને બાકાત કરીને દેશના ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા દ્વારા ભારતીય મુસ્લિમો વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવામાં આવે છે અને મુસ્લિમ વિરોધી પ્રચાર કરવામાં આવે છે. ભારતીય સ્વતંત્રતા માટે તે દરમિયાન મુસ્લિમોએ આપેલા બલિદાનને ખરેખર ભૂલી જવામાં આવ્યા છે. જો કે, ઈતિહાસ જોઈએ તો તે બતાવશે કે ભારતીય મુસલમાનોએ માત્ર મુક્તિ સંગ્રામમાં જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું ન હતું, પરંતુ સંસ્થાનવાદ વિરોધી રાષ્ટ્રીય લડાઈની સેવામાં પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર ઉલ્લેખિત ૯૫૩૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામોમાંથી ૬૧૯૪૫ મુસ્લિમ નામો છે, જે દર્શાવે છે કે તમામ મુક્તિ લડવૈયાઓમાંથી ૬૫% લોકો મુસ્લિમ હતા. મિલ્લી ક્રોનિકલના એક લેખના અહેવાલમાં પ્રસિદ્ધ લેખક કુશવંતસિંહે કહ્યું છે કેઃ ભારતીય સ્વતંત્રતા મુસ્લિમોના લોહી પર લખાયેલ છે, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારી તેમની વસ્તીની નાની ટકાવારીના પ્રમાણમાં ઘણી વધારે હતી. આ લેખનો હેતુ અમુક મુસ્લિમ સ્વતંત્રતા નાયકો પર નજર કરવાનો છે જેઓ આજના ઇતિહાસમાં વિલીન થઈ ગયા છે અને તેઓને દેશના બલિદાન માટે ક્યારેય યાદ કરવામાં આવતા નથી.
યુસુફ મહેરઅલી
યુસુફ મહેરઅલીનો જન્મ ૩ સપ્ટેમ્બર, ૧૯૦૩ના રોજ, બોમ્બેમાં થયો હતો. તેઓ સમાજવાદી કાર્યકર અને ભારતના મુક્તિ સેનાની હતા. જ્યારે તેમને ૧૯૪૨માં યરવડા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા, ત્યારે તેમને બોમ્બેના મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે રાષ્ટ્ર માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. તેઓ તેમના ઉચ્ચ શાળાના અભ્યાસ દરમિયાન વિવિધ ક્રાંતિકારી ચળવળ અને તેમાં યુવાનો દ્વારા ભજવવામાં આવેલ ભાગ વિશે વાંચવામાં ઘણો સમય વિતાવતા હતા. સાયમન કમિશન ફેબ્રુઆરી ૧૯૨૮માં બોમ્બે પહોંચ્યું હતું અને ત્યારે યુસુફ મહેરલી એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ઈતિહાસ અને અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી સરકારી લો કોલેજમાં કાનૂની શિક્ષણ ચાલુ રાખ્યું હતું. ૧૯૩૮માં, યુસુફ મેહરલીએ વિશ્વ સાંસ્કૃતિક પરિષદ માટે મેક્સિકોની મુસાફરી કરતા પહેલા ન્યૂયોર્કમાં વર્લ્ડ યુથ કોંગ્રેસમાં ભારતીય પ્રતિનિધિમંડળના વડા તરીકે સેવા આપી હતી. તેમણે ‘લીડર્સ ઑફ ઈન્ડિયા’ પુસ્તકની શ્રેણી લખી, જે વર્તમાન બાબતોને લગતી કૃતિઓનો સંગ્રહ છે જેનો તેમણે ગુજરાતી, હિન્દી અને ઉર્દૂમાં અનુવાદ પણ કર્યો છે.
INCની કાર્યકારી સમિતિ ૧૪ જુલાઈના રોજ વર્ધા ખાતે બોલાવવામાં આવી હતી અને સંપૂર્ણ સ્વતંત્રતા માટે હાકલ કરવા સંમત થઈ હતી. ગાંધીજીને યુસુફ મહેરઅલી દ્વારા બનાવવામાં આવેલ ટૂંકું વાક્ય “ભારત છોડો” ગમ્યું હતું. યુસુફ મહેરઅલીનું ૨ જુલાઈ, ૧૯૫૦ના રોજ અવસાન થયું હતું.
(સૌ. : ઈસ્લામ ઓન લેબ.કોમ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts