
મૌલાના હસરત મોહાની
દેશની આઝાદીના મુસ્લિમ વીરો – મોહમ્મદ થાહા એ
“મેરા દેશ આઝાદ હૈ.”
ભારતે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી, અને તેને હવે ૭૫ વર્ષ થઈ ગયા છે. આ એક મહત્વપૂર્ણ દિવસ હતો. અને આ આઝાદી સંખ્યાબંધ ચળવળો અને સંઘર્ષોનું પરિણામ હતું. આ આંદોલનો ૧૮૫૭ના પ્રખ્યાત બળવાથી શરૂ થયા હા અને બ્રિટિશ વહીવટીતંત્રના સમગ્ર સમયગાળા દરમિયાન અનેક ચળવળ કરવામાં આવી હતી. ગાંધીજી, જવાહરલાલ નહેરુ, વલ્લભાઈ પટેલ, અબ્દુલ ગફાર ખાન, મૌલાના આઝાદ અને અન્ય અગ્રણી વ્યક્તિઓ હતા. પ્રીતિલતા વાડેદાર, કસ્તુરબા ગાંધી, વિજયા લક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ એ મહિલા નાયિકા હતી જેમણે ભારતીય મહિલાઓને સ્વતંત્ર બનવા અને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આઝાદીની આ ચળવળમાં મુસ્લિમોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું આયોજન અને નેતૃત્વ મૌલવી અહમદુલ્લાહ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિટિશ રાજ વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ ૨૭ વર્ષની ઉંમરે ફાંસી પર લટકનાર પ્રથમ વ્યક્તિ અશફાકુલ્લા ખાન હતા. શાહ નવાઝ ખાને ઇન્ડિયન નેશનલ આર્મી (INA)માં રાજકારણી ઉપરાંત મુખ્ય અધિકારી અને કમાન્ડર તરીકે સેવા આપી હતી. હાલમાં ભારતીય મુસ્લિમો દેશમાં અનેક ભેદભાવનો સામનો કરી રહ્યા છે અને તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોમવાદી પક્ષો મુસ્લિમોને બાકાત કરીને દેશના ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા દ્વારા ભારતીય મુસ્લિમો વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવામાં આવે છે અને મુસ્લિમ વિરોધી પ્રચાર કરવામાં આવે છે. ભારતીય સ્વતંત્રતા માટે તે દરમિયાન મુસ્લિમોએ આપેલા બલિદાનને ખરેખર ભૂલી જવામાં આવ્યા છે. જો કે, ઈતિહાસ જોઈએ તો તે બતાવશે કે ભારતીય મુસલમાનોએ માત્ર મુક્તિ સંગ્રામમાં જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું ન હતું, પરંતુ સંસ્થાનવાદ વિરોધી રાષ્ટ્રીય લડાઈની સેવામાં પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર ઉલ્લેખિત ૯૫૩૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામોમાંથી ૬૧૯૪૫ મુસ્લિમ નામો છે, જે દર્શાવે છે કે તમામ મુક્તિ લડવૈયાઓમાંથી ૬૫% લોકો મુસ્લિમ હતા. મિલ્લી ક્રોનિકલના એક લેખના અહેવાલમાં પ્રસિદ્ધ લેખક કુશવંતસિંહે કહ્યું છે કેઃ ભારતીય સ્વતંત્રતા મુસ્લિમોના લોહી પર લખાયેલ છે, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારી તેમની વસ્તીની નાની ટકાવારીના પ્રમાણમાં ઘણી વધારે હતી. આ લેખનો હેતુ અમુક મુસ્લિમ સ્વતંત્રતા નાયકો પર નજર કરવાનો છે જેઓ આજના ઇતિહાસમાં વિલીન થઈ ગયા છે અને તેઓને દેશના બલિદાન માટે ક્યારેય યાદ કરવામાં આવતા નથી.
મૌલાના હસરત મોહાની
તેમનો જન્મ ૧ જાન્યુઆરી, ૧૮૭૫ના રોજ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના કસ્બા મોહનમાં થયો હતો. સૈયદ ફઝલ-ઉલ-હસન તેમનું અસલી નામ હતું. તેમનું તખલ્લુસ, હસરત હતું જેનો ઉપયોગ તેમણે તેમની કવિતાઓમાં પણ કર્યો હતો. મોહનમાં જન્મેલા મોહની હસરત નામ સાથે પ્રખ્યાત થઈ ગયા છે. ત્યારબાદ તેઓ હસરત મોહાની તરીકે ખ્યાતિ પામ્યા હતા. પ્રાથમિક ધોરણનો અભ્યાસ પૂરા કર્યા પછી તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જોડાયા હતા. તેઓ કૉલેજમાં હતા ત્યારે જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા, જેના કારણે તેમને ૧૯૦૩માં જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને તેમને કૉલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, તેમ છતાં તેમની સ્વતંત્રતા માટેની લડત અટલ હતી. તેમણે ૧૯૦૩ માં અલીગઢથી ‘ઉર્દૂ-એ-મુલ્લા’ જર્નલ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું. આ પ્રકાશનમાં બ્રિટિશ શાસનની જુલમી અને ખામીયુક્ત નીતિઓની ટીકા કરતા લેખો આપવામાં આવ્યા હતા.
મૌલાનાએ તેમના લેખન દ્વારા સ્વતંત્રતા ચળવળની જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખ્યું. ૧૯૦૭માં તેમને વધુ એક વખત જેલમાં જવું પડ્યું હતું. અંગ્રેજો તેમના લેખનના પ્રભાવથી વાકેફ હતા. તેમના પ્રચંડ પ્રભાવના ડરથી તેમનું પ્રકાશન બંધ કરવામાં આવ્યું હતું. તેઓ ૧૯૦૭ સુધી કોંગ્રેસ સાથે સ્ટાફમાં રહ્યા હતા. બાલ ગંગાધર તિલકે કોંગ્રેસ છોડ્યા પછી તરત જ, મૌલાનાએ તેનું અનુસરણ કર્યું હતું. તેમણે હિંસક ક્રાંતિકારીઓ સામે આઝાદીની લડતમાં પોતાની બહાદુરી બતાવી. તેમણે સામ્યવાદી પક્ષની સ્થાપનામાં પણ ભાગ લીધો હતો. ૧૯૨૫માં, તેઓ ફરી એક વખત જેલમાં ગયા હતા. ‘ઇન્કલાબ ઝિંદાબાદ’નું સૂત્ર ૧૯૨૧માં મૌલાના હસરત મોહની દ્વારા આપવામાં આવ્યું હતું. હસરત મોહનીનું ૧૩ મે, ૧૯૫૧ના રોજ અવસાન થયું હતું.
(સૌ. : ઈસ્લામ ઓન લેબ.કોમ)