
ફઝલ-એ-હક ખૈરાબાદી
દેશની આઝાદીના મુસ્લિમ વીરો – મોહમ્મદ થાહા એ
“મેરા દેશ આઝાદ હૈ.”
ભારતે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી, અને તેને હવે ૭૫ વર્ષ થઈ ગયા છે. આ એક મહત્વપૂર્ણ દિવસ હતો. અને આ આઝાદી સંખ્યાબંધ ચળવળો અને સંઘર્ષોનું પરિણામ હતું. આ આંદોલનો ૧૮૫૭ના પ્રખ્યાત બળવાથી શરૂ થયા હા અને બ્રિટિશ વહીવટીતંત્રના સમગ્ર સમયગાળા દરમિયાન અનેક ચળવળ કરવામાં આવી હતી. ગાંધીજી, જવાહરલાલ નહેરુ, વલ્લભાઈ પટેલ, અબ્દુલ ગફાર ખાન, મૌલાના આઝાદ અને અન્ય અગ્રણી વ્યક્તિઓ હતા. પ્રીતિલતા વાડેદાર, કસ્તુરબા ગાંધી, વિજયા લક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ એ મહિલા નાયિકા હતી જેમણે ભારતીય મહિલાઓને સ્વતંત્ર બનવા અને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આઝાદીની આ ચળવળમાં મુસ્લિમોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું આયોજન અને નેતૃત્વ મૌલવી અહમદુલ્લાહ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિટિશ રાજ વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ ૨૭ વર્ષની ઉંમરે ફાંસી પર લટકનાર પ્રથમ વ્યક્તિ અશફાકુલ્લા ખાન હતા. શાહ નવાઝ ખાને ઇન્ડિયન નેશનલ આર્મી (ૈંદ્ગછ)માં રાજકારણી ઉપરાંત મુખ્ય અધિકારી અને કમાન્ડર તરીકે સેવા આપી હતી.
હાલમાં ભારતીય મુસ્લિમો દેશમાં અનેક ભેદભાવનો સામનો કરી રહ્યા છે અને તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોમવાદી પક્ષો મુસ્લિમોને બાકાત કરીને દેશના ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા દ્વારા ભારતીય મુસ્લિમો વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવામાં આવે છે અને મુસ્લિમ વિરોધી પ્રચાર કરવામાં આવે છે. ભારતીય સ્વતંત્રતા માટે તે દરમિયાન મુસ્લિમોએ આપેલા બલિદાનને ખરેખર ભૂલી જવામાં આવ્યા છે. જો કે, ઈતિહાસ જોઈએ તો તે બતાવશે કે ભારતીય મુસલમાનોએ માત્ર મુક્તિ સંગ્રામમાં જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું ન હતું, પરંતુ સંસ્થાનવાદ વિરોધી રાષ્ટ્રીય લડાઈની સેવામાં પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર ઉલ્લેખિત ૯૫૩૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામોમાંથી ૬૧૯૪૫ મુસ્લિમ નામો છે, જે દર્શાવે છે કે તમામ મુક્તિ લડવૈયાઓમાંથી ૬૫% લોકો મુસ્લિમ હતા. મિલ્લી ક્રોનિકલના એક લેખના અહેવાલમાં પ્રસિદ્ધ લેખક કુશવંતસિંહે કહ્યું છે કેઃ ભારતીય સ્વતંત્રતા મુસ્લિમોના લોહી પર લખાયેલ છે, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારી તેમની વસ્તીની નાની ટકાવારીના પ્રમાણમાં ઘણી વધારે હતી. આ લેખનો હેતુ અમુક મુસ્લિમ સ્વતંત્રતા નાયકો પર નજર કરવાનો છે જેઓ આજના ઇતિહાસમાં વિલીન થઈ ગયા છે અને તેઓને દેશના બલિદાન માટે ક્યારેય યાદ કરવામાં આવતા નથી.
ફઝલ-એ-હક ખૈરાબાદી
અલ્લામા ફઝલ એ હક ખૈરાબાદી ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં ખૈરાબાદ (જૂના અવધ)માં એક સંપન્ન પરિવારમાં ઉછર્યા હતા. તેમનો જન્મ ૧૭૯૭માં થયો હતો. વસાહતી સમય દરમિયાનના સૌથી પ્રારંભિક રાજકીય કેદીઓ પૈકી એક હતા. તેમણે કથિત રીતે અંગ્રેજો સામે ફતવા-એ જેહાદની ઘોષણા કરી હતી અને ૧૮૩૧માં, ખૈરાબાદીએ સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું અને તેમનો મોટાભાગનો સમય બૌદ્ધિકોની વચ્ચે વિદ્વતાપૂર્ણ કાર્યમાં વિતાવ્યો હતો. તેમણે કથિત રીતે લોકશાહી વિચારો પર આધારિત સ્વતંત્ર ભારતનું પ્રથમ બંધારણ ઘડ્યું હતું. ૪ મહિનાથી થોડા વધુ સમયમાં તેમણે કુર્આન કંઠસ્થ કરી લીધું હતું. તેર વર્ષની ઉંમર સુધીમાં, તેમણે અરબી, ફારસી અને ધાર્મિક અભ્યાસ માટેની જરૂરિયાતો પણ પૂરી કરી લીધી હતી. તેમના વ્યાપક જ્ઞાન અને વિદ્યાને કારણે તેમને “અલ્લામા” તરીકે ઓળખવામાં આવતા હતા અને બાદમાં તેમણે એક મહાન સૂફી તરીકે પણ આદર મેળવ્યો હતો. ‘ઇમામ હિકમત’ અને ‘કલામ‘ પણ તેમને આપવામાં આવ્યા હતા. ૧૮૫૭ના ભારતીય વિદ્રોહમાં અલ્લામા ફઝલ એ હક ખૈરાબાદીની સૌથી વધુ સક્રિય ભાગીદારી હતી.
મે ૧૮૫૭ માં તેઓ દિલ્હી આવ્યા. ૧૧ મે, ૧૮૫૭ના રોજ, બળવાખોર સૈન્યએ દિલ્હીમાં નાના બ્રિટિશ દળને હરાવ્યું હતું, અને બહાદુર શાહ, જે અંતિમ મુઘલ શાસક હતા, જેમને તાજ પહેરાવવામાં આવ્યો હતો, તે બળવાખોર પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ બની ગયો હતો. અલ્લામા ફઝલ એ હક ખૈરાબાદીએ પણ બહાદુર શાહ ઝફર સાથેના સંવાદોમાં ભાગ લીધો હતો અને તેમને સલાહ આપી હતી. ૩૦ જાન્યુઆરી ૧૮૫૯ના રોજ, તેમની તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમને આંદામાનમાં આજીવન કેદની સજા કરવામાં આવી હતી અને તેમને ફાંસી આપવામાં આવી હતી. દર વર્ષે ૧૨મી ફેબ્રુઆરીના રોજ, આંદામાન અને નિકોબાર વક્ફ બોર્ડ મહાન વિદ્વાન અને સ્વાતંત્ર્ય સેનાનીના સન્માનમાં શહેરમાં સંખ્યાબંધ સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ઇવેન્ટ્સનો ઉદ્દેશ્ય ટાપુવાસીઓને તેમના જીવનના નિઃસ્વાર્થ જીવનનું અનુકરણ કરવા અને અન્ય લોકોના લાભ માટે અને ટાપુઓ પર શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે તેમના ઉપદેશો ફેલાવવા માટે પ્રેરિત કરવાનો છે.
(સૌ. : ઈસ્લામ ઓન લેબ.કોમ)