(એજન્સી) મહારાજગંજ, તા.૧૧
ઉત્તરપ્રદેશના મહારાજગંજ જિલ્લાની એક કોર્ટે ૨૦૧૯માં કથિત પ્રેમ સંબંધને કારણે એક દલિત યુવાનની હત્યા કરવા બદલ ૬૦ વર્ષીય એક વ્યક્તિને સખત આજીવન કેદની સજા ફટકારી છે, એમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું. ખાસ સરકારી વકીલ ફણીન્દ્ર કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સ્પેશિયલ જજ (SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ) આબિદ શમીમે ગુરુવારે ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં રામ પ્રસાદ પ્રજાપતિને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. આજીવન કેદની સજાની સાથે, કોર્ટે દોષિત પર ૪૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. રકમ ચૂકવવામાં નિષ્ફળતા પર વધારાની છ મહિનાની કેદની સજા થશે, ત્રિપાઠીએ જણાવ્યું હતું. ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, પ્રજાપતિ પર ૧૯ વર્ષીય અછેલાલની હત્યા કરવા બદલ હત્યાના આરોપો અને જીઝ્ર/જી્ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આરોપીએ કથિત પ્રેમ સંબંધ સાથે જોડાયેલા વિવાદ બાદ યુવક પર લાકડી અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે પ્રજાપતિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને કોર્ટે હવે છ વર્ષ પછી તેને દોષિત ઠેરવ્યો છે.