વિદાય લેતા વર્ષની સાથે કોરોનાની મહામારી પણ આથમી જાય તેવી આશા

 

ખ્રિસ્તી બિરાદરોનો પવિત્ર તહેવાર નાતાલ શુક્રવાર ૨૫મી ડિસેમ્બરના રોજ આવી રહ્યો છે. નાતાલના પર્વમાં સાન્તાક્લોઝનું ખૂબ મહત્ત્વ રહેલું છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે તહેવારોની ઉજવણી પર ગ્રહણ લાગ્યું હોવાથી દરેક તહેવારો ખૂબ જ સાદાઈથી ઉજવાઈ રહ્યા છે. ઉક્ત તસવીરમાં સાન્તાક્લોઝ રસ્તેથી પસાર થતાં વાહનચાલકોને રોકી બાળકોને ગિફ્ટ આપી ખુશ કરી રહ્યા છે. આથમતા સૂરજ વચ્ચે કોરોનાની મહામારી પણ વિદાય લેતાં વર્ષની સાથે જ સદાને માટે આથમી જાય તેવી આશા રાખીએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts