વિરેન્દ્ર સહેવાગે રોહિત શર્માને ઓપનિંગથી હટાવવાને લઈને ટીકા કરી

મુંબઈ, તા.૩

રોહીત શર્માને ઓપનિંગમાંથી હટાવવાના નિર્ણયથી ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે પણ ટીકા કરી છે. સેહવાગે ૨૦૦૭ના વન ડે વર્લ્ડ કપની એક ઘટનાને યાદ કરી છે. સેહવાગે કહ્યું છે કે, ૨૦૦૭ ઓડીઆઈ વર્લ્ડ કપમાં ભારતના મહાન બેટ્‌સમેન સચિન તેંડુલકર ને નંબર ૪ પર બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. પરંતુ આ ચાલ નિષ્ફળ ગઈ કારણ કે સચિને તેની મોટાભાગની કારકિર્દીમાં ઓપનિંગ રમત રમી છે. મીડિયા રિપોર્ટમાં વાત કરતા સેહવાગે કહ્યું, ૨૦૦૭ વર્લ્ડ કપમાં, અમે બે ભૂલો કરી. પહેલા, જ્યારે અમે સારો પીછો કરી રહ્યા હતા અને સતત ૧૭ મેચ જીતી હતી. પરંતુ જ્યારે વર્લ્ડ કપ આવ્યો ત્યારે અમારા કોચે કહ્યું કે અમને બેટિંગ પ્રેક્ટિસની જરૂર છે. મેં કહ્યું કે, અમને બે મેચ જીતવા દો અને તે પછી અમારી પાસે બેટિંગની પ્રેક્ટિસ કરવા માટે છ મેચ હશે, પરંતુ તેઓએ ના કહ્યું. સેહવાગે કહ્યું, બીજી ભૂલ એ હતી કે જ્યારે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની ઓપનિંગ જોડી સારો દેખાવ કરી રહી હતી. તો તેને તોડવાની શું જરૂર હતી. તમે કેમ કહ્યું કે સચિન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે તો તમે કંટ્રોલ કરી શકો છો. અમારી પાસે પહેલાથી જ ત્રણ ખેલાડીઓને નિયંત્રિત કરવા માટે હતા – રાહુલ દ્રવિડ, યુવરાજ સિંહ અને એમએસ ધોની. તમારે ચોથાની જરૂર કેમ પડી ? સચિને નંબર ૪ પર બેટિંગ કરી અને તમે જોયું કે શું થયું. જ્યારે ટીમ રણનીતિ બદલે છે. જ્યાં તેઓ ભૂલો કરે છે. જ્યારે તમારી પાસે સાબિત ફોર્મ્યુલા છે, ત્યારે તેને બદલવાની શું જરૂર છે ? આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts