વિવિધતામાં એકતા અને કોમી અખંડિતતાનો સુંદર સંદેશ વડોદરામાં ૫૧ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ વ્રત કરતી હિન્દુ બાળકીઓને મહેંદી મૂકી એકતાનો સંદેશ આપ્યો

(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૭
ગૌરી વ્રતના પ્રથમ દિવસે ‘આર એન્ડ કે પંડ્યા સ્કૂલ’ની ૫૧ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ વ્રત કરતી હિન્દુ બાળકીઓના હાથ પર મહેંદી મૂકી હતી. વિવિધતામાં એકતા અને કોમી અખંડિતતાનો સુંદર સંદેશ આપતાં, આ મુસ્લિમ બાળકીઓએ હિન્દુ બાળકીઓના હાથ પર સુંદર ડિઝાઇન દોરીને તેમના ચહેરા પર ખુશી લાવી દીધી હતી. આ સમગ્ર આયોજન વડોદરાના સામાજિક કાર્યકર નિશિતા રાજપૂતનો વિચાર હતો, જેઓ વર્ષોથી આ બાળકીઓના શિક્ષણમાં સહયોગ આપી રહ્યા છે અને તેમની સાથે દરેક તહેવાર ઉજવે છે. ગૌરી વ્રત તહેવારના પ્રથમ દિવસે, નિશિતા રાજપૂતે તેમના ૧૮ વર્ષ જૂના “બેટી બચાવો અને બેટીઓને ખુશીઓ આપો”ના મિશનને આગળ ધપાવતા, ઉપવાસ કરતી ૨૦૧ જરૂરિયાતમંદ બાળકીઓને ડ્રાયફ્રૂટ કિટ્‌સનું વિતરણ કર્યું હતું. આ વાર્ષિક પહેલ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકીઓ પણ ગૌરવ, આનંદ અને સંભાળ સાથે તેમના તહેવારો ઉજવી શકે છે તે.માટે કરવામાં આવે છે.આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ આર એન્ડ કે પંડ્યા સ્કૂલની ૫૧ મુસ્લિમ બાળકીઓનું હૃદયસ્પર્શી યોગદાન હતું. જેમણે વ્રત રાખનાર હિન્દુ બાળકીઓના હાથ પર પ્રેમપૂર્વક મહેંદી મૂકી હતી. આ દૃશ્ય કોમી એકતા, પરસ્પર આદર અને ભારતની વિવિધતામાં એકતાનું પ્રતીક બન્યું હતું. ત્યારબાદ નિશિતા રાજપૂતે આ બાળકીઓને તેમના આ સુંદર કાર્ય માટે સન્માનિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવી પહેલો સમાજને મતભેદોથી ઉપર ઊઠીને માનવતા, કરૂણા અને રાષ્ટ્રીય એકતાના બંધનોને વધુ મજબૂત કરવાની પ્રેરણા આપે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks